ભાજપના સાંસદ અને અભિનેતા પરેશ રાવલે ભાજપના ઉમેદવાર વિનોદ ચાવડાના સમર્થનમાં ભૂજમાં રોડ શો યોજ્યો હતો. ભાજપના સ્ટાર પ્રચારક રાવલે આ પહેલા પત્રકારો સાથે વાતચીતમાં કહ્યું હતું કે, ભુજમાં બે બ્રાહ્મણ છે, એક નકલી છે અને એક અસલી છે. લોકો મોદી સરકારના વિકાસના કામોને જોવે છે અને તેથી જ ગુજરાત અને કચ્છમાં ભાજપ માટે પોઝીટીવ વાતાવરણ છે.
ભુજમાં બે બ્રાહ્મણ છે, એક અસલી એક નકલીઃ પરેશ રાવલ - Narendra Modi
કચ્છઃ આગામી 23 એપ્રિલે ગુજરાતની 26 લોકસભા બેઠક પર મતદાન યોજાવા જઈ રહ્યુ છે. આ દિવસે દરેક રાજકીય પાર્ટીઓના ઉમેદવારોનું ભાવિ મતદારોના હાથે EVMમાં કેદ થશે. તે પહેલા જ મતદારોને પોતાની તરફ કરવા ભાજપના સ્ટાર પ્રચારકોએ ગુજરાતમાં ધામા નાખી દીધા છે. જેના ભાગરુપે ભાજપના સાંસદ અને અભિનેતા પરેશ રાવલે ભુજની મુલાકાતે આવ્યા હતા.
પરેશ રાવલ
પરેશ રાવલે કોંગ્રેસ અને રાહુલ ગાંધી પર પ્રહાર કરતા કહ્યુ કે, કોંગ્રેસના વિવાદિત નિવેદનો ખેદ જનક હોય છે. જો કે, અસલી નકલી બ્રાહ્મણનું તેમનું નિવેદન સીધુ જ રાહુલ ગાંધી પર હતું. વધુમાં તેમણે મહાગઠબંધન પર પ્રહાર કરતા કહ્યુ કે, પોતે અપેક્ષાથી ખરા ન ઉતરી શક્યાં હોવાથી ચૂંટણી નથી લડી રહ્યા.