નારાયણ સરોવર 6 વર્ષ બાદ ફરી છલકાયું, રાજ્યપ્રધાન વાસણ આહિરે કરી પૂજા - Narayan Sarovar
કચ્છ: જિલ્લાના અછત અને દુષ્કાળ બાદ 6 વર્ષે પવિત્ર નારાયણ સરોવરમાં ફરી પાણી ભરાયું છે. રાજ્યપ્રધાન વાસણ આહીરે નારાયણ સરોવર કોટેશ્રવરની પુજા કરીને કચ્છમાં મેઘરાજાની હજુ પણ કૃપા વરસે તેવી પ્રાર્થના કરી હતી.

kutch
સામાજીક, શૈક્ષણિક પછાત વર્ગોના કલ્યાણ અને પ્રવાસન રાજયપ્રાધન વાસણ આહિરે કચ્છના પુરાણ પ્રસિધ્ધ તીર્થધામ નારાયણ સરોવર તથા કોટેશ્વર મહાદેવના પૂજા-અર્ચના કરી અભિષેક કર્યાં હતા. સાથે સાથે તેમણે લખપતમાં આવેલ ઐતિહાસિક અને શીખોના પવિત્રધામ લખપત ગુરૂદ્વારા સહિત માતાના મઢ ખાતે આશાપુરા માતાજીના દર્શન કરી વિકાસકામોની ચર્ચા કરી હતી.