- મુંદ્રા કસ્ટોડીયલ ડેથ મામલે બીજા યુવકના મોત મામલે સમાજ આક્રમક
- જો યોગ્ય તપાસની ખાતરી નહી મળે તો સમાજ યુવકના મૃતદેહ સાથે ન્યાય માટે લડત કરશે
- સમાજે મિટીંગ દરમ્યાન સોમવારે મુંદ્રા બંધનુ એલાન આપ્યુ
- કચ્છના ગઢવી સમાજની બહુમત ધરાવતા ગામોમા ચૂંટણી બહિષ્કાર માટેનો નિર્ણય ક્સ્ટોડીયલ ડેથના પગલે આવતીકાલે મુંદ્રા બંધનું એલાન
કચ્છ: અમદાવાદ સિવિલ હોસ્પિટલમાં સારવાર દરમિયાન મૃત્યુ પામેલા હરજુગ ગઢવીનો મૃતદેહ સ્વીકારવાનો ગઢવી સમાજે ઈન્કાર કરી દીધો છે. જ્યાં સુધી ફરાર છ આરોપીઓ ન પકડાય ત્યાં સુધી મૃતદેહ નહીં સ્વિકારવામાં આવે તેવી ગઢવી સમાજે માંગણી કરી છે. બે- બે યુવકોના મોત મામલે સમસ્ત ગુજરાતનો ચારણ- ગઢવી સમાજ એક થઈ ગયો છે. દરમિયાન, કચ્છ ગઢવી- ચારણ મહાસભાના પ્રમુખ વિજય ગઢવી અને સમાજના આગેવાનોએ મુંદ્રામાં બેઠક યોજી ભાવિ કાર્યક્રમો અંગેની રણનીતિ ઘડી કાઢી છે. વિજયે જણાવ્યું હતું કે, હરજુગ ગઢવીનું પોસ્ટમોર્ટમ કરવા હજુ સમાજે સંમતિ આપી નથી. ચોક્કસ શરતોને આધિન રહીને જ સમાજ તેના મૃતદેહનું પીએમ કરવા અને અંતિમસંસ્કાર માટે અનુમતિ આપશે. જો કે, તે મામલે હજુસુધી કોઈ અંતિમ નિર્ણય લેવાયો નથી. સોમવારે સવારે સાડા નવ વાગ્યે સમાઘોઘા ખાતે સમસ્ત ચારણ સમાજની એક જાહેરસભા બોલાવાઈ છે. તો, માંડવી-મુંદ્રા સહિત ચારણ-ગઢવી સમાજની બહુમતિવાળાં ગામોને આવતીકાલે સ્વયંભૂ બંધ પાળી તેમનો શોક અને વિરોધ પ્રગટ કરવા એલાન અપાયું છે. આ મામલો માત્ર ગઢવી સમાજનો નહીં, પરંતુ પોલીસ અને પ્રજા વચ્ચેનો છે તેને અનુલક્ષીને ગઢવી સમાજે મુંદ્રાની સમસ્ત જનતાને પણ બંધમાં જોડાવા આહ્વાન કર્યું છે.
સરકારે પાળેલાં મૌનની ગઢવી સમાજે આકરી ટીકા કરી