- ભુજના જડેશ્વર મહાદેવના મંદિરે શ્રાવણ માસમાં જામે છે ભક્તિનો માહોલ
- જંગલમાં છે એટલે જડેશ્વર મહાદેવ અને ડુંગર ઉપર છે એટલે સુરલભીટ્ટ નામ પડ્યું
- રાજાએ 7000 કોરીનો ખર્ચ કરીને વિશાળ મંદિર બનાવ્યું
ભુજ: ભુજ થી ચાર-પાંચ કિલોમીટરના અંતરે માધાપર- ભુજ- નાગોરની વચ્ચે આવેલું આ ટેકરી પરનું જડેશ્વર મહાદેવનું મંદિર કે જ્યાં ઉગતા સૂર્ય થી પહેલા પ્રાતઃ આરતી અને સાંય આરતી મોડી સાંજે થતી હોય છે. રાજાશાહીના વખતમાં આ મંદિરનું જીનોદ્ધાર કરવામાં આવ્યું હતું. આ મંદિરમાં સ્વયંભૂ રીતે લિંગ પ્રગટ્યું હતું. આ મંદિર 200 વર્ષ જૂનું છે. વહેલી સવારની આરતી જંગલમાં આહ્લાદક વાતાવરણમાં એક કુદરતના સામીપ્યને અનુભૂતિ કરાવે છે તો અબાલ, વૃદ્ધ કેટલાયે વર્ષોથી આ મંદિર સાથે સંબધ ધરાવે છે.
મંદિરનો ઈતિહાસ
આ મંદિરના ઈતિહાસની વાત કરીએ તો જયારે જંગલમાં ડુંગર ઉપર ગાયો જતી ત્યારે એ ડુંગરની ઉપર ગાયના આંચળમાંથી દૂધની ધારા થતી અને તપાસ કરતા ત્યાં શિવલિંગ મળ્યું હતું. આ સ્વયંભૂ પ્રગટેલા લિંગનું માહાત્મ્ય છે અને ત્યારબાદ અહીં નાની દેરી બનાવાઈ હતી અને પછીથી વિકાસ કરીને મોટું મંદિર બનાવાયું છે.આ મંદિર જંગલમાં છે એટલે જડેશ્વર મહાદેવ અને ડુંગર ઉપર છે એટલે સુરલભીટ્ટ નામ પડ્યું છે.
પર્વત પર મંદિર
જંગલમાં આલ્હાદક વાતાવરણ હોવાથી ડુંગર પર પગે ચાલીને આવતા લોકો બે ઘડી વિસામો ખાઈને આ કુદરતનો નજારો જોઈને રોમાંચિત થઈ જાય છે. આબાલ વૃદ્ધ સૌ કોઈ આ મહાદેવના ચરણે શિશ નમાવીને પોતાના જીવનની ધન્ય ઘડી અનુભવે છે. અહીં ડુંગરની તળેટીમાં 25 ફૂટ ઊંચી મહાદેવની મૂર્તિ પણ આવેલી છે. 227 જેટલા પગથિયાં આવેલા છે પરંતુ સીધું ચઢાણમાં હોવાથી તેને રેલિંગ પણ મારેલી છે.
આ પણ વાંચો : ઓક્ટોબરમાં ત્રીજી લહેરમાં બાળકો પર સૌથી મોટું જોખમ છે, શું શાળાઓ શરુ થવી જોઇએ?
રાજાએ 7000 કોરીનો ખર્ચ કરીને વિશાળ મંદિર બનાવેલું
મહાદેવ શ્રી જડેશ્વર મંદિર તથા સ્થાપિત પ્રતિમાઓ ખંડિત દશામાં હોવાથી તેમની જીનોધ્ધાર કરવાની પ્રેરણાના પાટવી મહારાજ કુમાર શ્રી વિજયરાજજીના ભાવિક મનમાં થઇ તેમને 7000 કોરી (જુનું રાજાશાહીના વખતનું કચ્છ રાજ્યનું ચલણી નાણું ) ખર્ચ કરીને વિશાળ મંદિર બનાવેલ જે આ શિલાલેખ પર છે.
200 વર્ષ જૂનુ મંદિર
સુરલભીટ્ટ તરીકે ખ્યાતી પામનાર આ 200 વર્ષ જુનું મંદિર છે. રાજાશાહીના વખતમાં જંગલમાં ભરવાડ લોકો વસતા અને તેઓ ગાય બકરા ચરાવવા પર્વતો પર જતા હતા. જેમાંથી એક ગાય જે દરરોજ ટેકરી પર દૂધ આપતી જે ડુંગરની ટેકરી પર ભરવાડે જઈને કુહાડીનાં ઘા કર્યા અને શિવલિંગ પર લોહી નીકળ્યું હતું. ત્યારે રાજાએ લોકોને ભેગા કરી શિવ ભગવાનનો અહીં વાસ છે એટલે મંદિર બનાવ્યું અને આવવા જવા માટે પગથીયા બનાવ્યા.