નાલંદા વિદ્યામંદિરના સહયોગ દ્વારા આયોજિત સમારોહનો દીપ પ્રગટાવી પ્રારંભ કરાવમાં આવ્યો હતો. સામાજીક શૈક્ષણિક પછાત વર્ગોના કલ્યાણ અને પ્રવાસન રાજયપ્રધાન વાસણભાઈ આહિરે અંજારને જિલ્લાકક્ષાના પ્રદર્શન નિહાળવાની આગવી તક પ્રાપ્ત થઇ હતી,
વિદ્યાર્થીઓમાં વિજ્ઞાન પરત્વે રૂચી વધે અને આજના યુગમાં વિજ્ઞાનની અનિવાર્યતા જોતાં નવી પઢીમાં વિજ્ઞાનની સાથે ગણિત, પર્યાવરણ જેવા મહત્વનાં ક્ષેત્રે જાગૃતતા વધે તે માટે આવા મેળા-પ્રદર્શન મહત્વનાં હોવાનું જણાવ્યું હતું.
અંજાર પ્રાંત ડો. વિજયભાઈ જોષીએ વિજ્ઞાન મેળા સાચા અર્થમાં સાબિત થાય.તે માટે વિદ્યાર્થીઓ તેને જીવનમાં ઉતારે તે માટે વિદ્યાર્થીઓએ ગણિત-વિજ્ઞાન-પર્યાવરણના પ્રદર્શનમાં રજૂ કરાયેલ કૃતિ આજીવન યાદ રાખવી, વિદ્યાર્થીઓમાં વૈજ્ઞાનિક દ્રષ્ટિકોણ જન્માવશે, તે બદલ આનંદની લાગણી વ્યકત કરી હતી.
સચ્ચિદાનંદ મંદિર અંજારના મહંત ત્રિકમદાસજી મહારાજે આશીર્વચન પાઠવતાં ડો. વિક્રમ સારાભાઈ ગણિત-વિજ્ઞાન-પર્યાવરણ પ્રદર્શન વિદ્યાર્થીઓમાં રહેલી વૈજ્ઞાનિક પ્રતિભા શક્તિને ઉજાગર કરવા રાજય સરકારના શિક્ષણ વિભાગના સમગ્ર આયોજનને બિરદાયા હતા.