ગુજરાત

gujarat

ETV Bharat / state

અભી નહી તો કભી નહી: કેન્દ્ર સરકારના કૃષિ બીલના વિરોધમાં કચ્છના ખેડૂતોએ પ્રતીક ધરણાં કર્યા - Picket demonstration at Bhuj

કેન્દ્ર સરકાર દ્વારા નવા બનાવાયેલા કૃષિ બીલના વિરોધમાં વડાપ્રધાનને ઉદ્દેશીને ભારતીય કિસાન સંઘ કચ્છ દ્વારા ભુજ ખાતે એક દિવસના પ્રતીક ધરણાં પ્રદર્શન દ્વારા કાયદામાં ફેરફાર સહિતની માગ સાથે વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું હતું. ખેડૂતલક્ષી માંગણીઓ દર્શાવતું આવેદનપત્ર તંત્ર સમક્ષ રજૂ કરવામાં આવ્યું હતું.

Gujarat News
Gujarat News

By

Published : Sep 8, 2021, 5:12 PM IST

  • કૃષિ કાયદાના વિરોધમાં ભારતીય કિસાન સંઘ દ્વારા પ્રતીક ધરણા
  • જિલ્લામાંથી મોટી સંખ્યામાં ખેડૂતો જોડાયા ધરણા કાર્યક્રમમાં
  • મુખ્યમંત્રી કિસાન સહાય યોજનમાંથી વળતર આપવા સહિતના મુદ્દે આવેદનપત્ર

કચ્છ: કેન્દ્ર સરકારના કાયદા વિરૂદ્ધના પ્રતીક ધરણામાં મુખ્યપ્રધાન કીસાન સહાય યોજના હેઠળ કચ્છના ખેડૂતોને વળતર ચુકવવામાં આવે, મીટર પ્રથા બંધ કરવામાં આવે, ખેત ઓજારો પર જીએસટી રદ કરવામાં આવે અને નર્મદાના પાણી આપવામાં આવે વિગેરે મુદાઓનો સમાવેશ કરવામાં આવ્યો હતો. ઘણા લાંબા સમય બાદ ખેડૂતોના પ્રશ્ને ધરણા સહીતના કાર્યક્રમો ભારતીય કીસાન સંઘ દ્વારા યોજાઇ રહ્યા છે. અગાઉ વહીવટીતંત્રને આવેદનપત્ર પાઠવીને માત્ર સંતોષ માની લેતા કીસાનસંઘે હવે અભી નહી તો કભી નહીનો મુડ બનાવ્યો છે.

કેન્દ્ર સરકારના કૃષિ બીલના વિરોધમાં કચ્છના ખેડૂતોએ પ્રતીક ધરણાં કર્યા

મોંઘવારીને ધ્યાનમાં રાખી પાકના ટેકાના ભાવમાં 15 ટકાનો વધારો નિયમમાં આવે

કેન્દ્ર સરકાર પાસે કિસાનોએ માંગણી કરી હતી કે, નવા બનેલા કૃષિ કાયદામાં દર વર્ષે વધતી મોંઘવારીને ધ્યાનમાં રાખી પાકના ટેકાના ભાવમાં 15 ટકાનો વધારો નિયમમાં આવે, લાયસન્સ વગરના વેપારીઓ દ્વારા કરવામાં આવતી પાકની ખરીદી પર રોક લગાડવા અને પહેલાની જેમ કાયદેસર પરવાનગી ધરાવતા વેપારીઓ જ પાક ખરીદી શકે એવી જોગવાઈ કરવા તથા કિસાનો સાથે થતી આર્થિક છેતરપિંડી સહિતના બનાવો માટે જિલ્લામાં અલગ કિસાન ન્યાયાલય સ્થાપવામાં આવે. જેથી ખેડૂતોને જલ્દી ન્યાય મળી શકે.

કેન્દ્ર સરકારના કૃષિ બીલના વિરોધમાં કચ્છના ખેડૂતોએ પ્રતીક ધરણાં કર્યા

નર્મદાના 1 મિલિયન હેક્ટર પાણી પહોંચાડવાની જે જાહેરાત કરાઈ છે તેના માટે મંજૂરી પ્રક્રિયા હાથ ધરવામાં આવે તેવી માગ પણ ઉઠી

રાજ્ય સરકાર પાસે ખેડૂતોને પાકના પોષણક્ષમ ભાવ મળતા રહે એવી જાહેરાત મુખ્યપ્રધાન દ્વારા કરવામાં આવે, કચ્છમાં નિયમોનુસાર દુષ્કાળ જાહેર કરી નિષ્ફળ વાવેતરનું વળતર ચુકવવામાં આવે તેમજ ખેડૂતોને સિંચાઈ માટે નર્મદા કેનાલના પાણી કમાન વિસ્તાર હેઠળ કચ્છને મળવા જોઈએ એ નથી મળી રહ્યા તે તાત્કાલિક ધોરણે મળતા કરવા જોઈએ તથા 2022 સુધી પશ્ચિમ કચ્છના માંડવી તાલુકાના મોડકુંબા સુધી નર્મદા કેનાલમાં પાણી પહોંચાડવાની વાત હતી તેનો અમલ થાય તે માટે આદેશ કરવા અને ખેડૂતોને કેનાલ મારફતે આવતું પાણી ખેતર સુધી સિંચાઈનું પાણી પહોંચાડવામાં આવે. હાલ જે પૂર્વ કચ્છના રાપર અને ભચાઉ તાલુકાના વિસ્તારોમાં નર્મદા કેનાલનું પાણી મળે છે તે ખેડૂતો સ્વખર્ચે મેળવી રહ્યા છે. જ્યારે રૂપિયા 3475 કરોડના ખર્ચે વધારાનું 1 મિલિયન હેક્ટર પાણી પહોંચાડવાની જે જાહેરાત કરવામાં આવી છે તેના માટે મંજૂરી પ્રક્રિયા હાથ ધરવામાં આવે એવી માંગણીઓ પણ રાજ્ય સરકાર સમક્ષ મુકવામાં આવી હતી.

કેન્દ્ર સરકારના કૃષિ બીલના વિરોધમાં કચ્છના ખેડૂતોએ પ્રતીક ધરણાં કર્યા

જુદાં જુદાં તાલુકાના 1000 જેટલા ખેડૂતો આ પ્રતીક ધરણાંમાં જોડાયા

આ પ્રતીક ધરણાંમાં ખેડૂતોના પ્રશ્નોના નિરાકરણ અંગે સમગ્ર દેશના ખેડૂતોની સાથે કચ્છમાં વડાપ્રધાનને ઉદ્દેશીને આવેદનપત્ર આપવામાં આવ્યું હતું અને જિલ્લાના ખેડૂતોની માંગ માટે મુખ્યપ્રધાનને ઉલ્લેખીને રજૂઆત કરવામાં આવી હતી. આ પ્રતીક ધરણાં કાર્યક્રમમાં કચ્છ જિલ્લાના જુદાં જુદાં તાલુકાના 1000 જેટલા ખેડૂતો જોડાયા હતા. જેમાં સંઘના વર્તમાન પ્રમુખ, પ્રધાન, કારોબારીના સભ્યોની સાથે પૂર્વ પ્રમુખ અને પ્રધાન સહિતના હોદે્દદારો પણ ઉપસ્થિત રહ્યા હતા.

કેન્દ્ર સરકારના કૃષિ બીલના વિરોધમાં કચ્છના ખેડૂતોએ પ્રતીક ધરણાં કર્યા

કચ્છને બચાવવા માટે નર્મદાનું પાણી જરૂરી છે નહિતર કચ્છના લોકોને હિજરત કરવાનો વારો આવશે: વિઠ્ઠલ દુધાસરા

ભારતીય કિસાન સંઘ ગુજરાત પ્રદેશના પ્રમુખ વિઠ્ઠલ દુધાસરાએ વિગતો આપતા જણાવ્યું હતું કે, "ખેડૂતોને તેમના પાકના પૂરતા પોષણક્ષમ ભાવ મળે એના માટે પ્રતીક ધરણા રખાયા છે. કચ્છના ખેડૂતોની અલગ અલગ સમસ્યાઓ છે. કચ્છમાં ખાસ કરીને પવનચક્કીની યોજનાઓ ખેતીને બરબાદ કરી રહી છે. આવનારા સમયમાં એના માટે પણ સરકારમાં રજૂઆત કરવામાં આવશે. આ ઉપરાંત કચ્છને બચાવવા માટે નર્મદાનું પાણી જરૂરી છે નહિતર કચ્છના લોકોને હિજરત કરવાનો વારો આવશે."

નર્મદાના પાણી વગર કચ્છ વેરાન થવા જઈ રહ્યું છે: કચ્છ કિસાન સંઘ પ્રમુખ

કિસાન સંઘ કચ્છના પ્રમુખ શિવજી બરાડીયાએ વિગતો આપતા જણાવ્યું હતું કે, "દિવસે દિવસે મોંઘવારી વધી રહી છે ત્યારે ખેડૂતોને તેમના પાકના પુરતા પોષણક્ષમ ભાવ મળે તે માટે MSP માં ખેડૂતોને 15 ચકા નફો રાખીને ભાવ બાંધવા જોઈએ તથા લાયસન્સ વગરના વેપારીઓ ધંધો ન કરે નહીતો ફ્રોડ થવાની શક્યતાઓ વધુ બને છે તથા કેન્દ્ર સરકાર દ્વારા 3 કૃષિ કાયદાઓમાં સુધારા કરવા જોઈએ અને ત્યાર બાદ જ પાસ કરવા જોઈએ. આ ઉપરાંત પવનચક્કીઓને તાત્કાલિક મંજૂરી મળે છે પરંતુ નર્મદાનું પાણી માટે સરકાર ગલાતલા કરે છે અને એના લીધે કચ્છ નર્મદાના પાણી વગર વેરાન થવા જઈ રહ્યું છે."

ABOUT THE AUTHOR

...view details