ગુજરાત

gujarat

ETV Bharat / state

કચ્છના ઉભરતા ક્રિકેટરો અંગેનો ETV BHARATનો ખાસ અહેવાલ - news of cricket

કચ્છમાં વિવિધ મેદાનો પર ક્રિકેટ ટુર્નામેન્ટનું આયોજન કરવામાં આવે છે. તેમાં દરેક સમાજના ખેલાડીઓને અલગ-અલગ મેદાનોમાં રમાડવામાં આવે છે. કચ્છના ખેલાડીઓ ક્રિકેટમાં ખૂબ જ સારુ પ્રદર્શન કરે છે. તથઆ તેઓએ આંતરાષ્ટ્રીય કક્ષાએ પણ નામ મેળવ્યું છે.

કચ્છના ઉભરતા ક્રિકેટરો
કચ્છના ઉભરતા ક્રિકેટરો

By

Published : Mar 23, 2021, 9:49 AM IST

Updated : Mar 23, 2021, 10:22 AM IST

  • કચ્છમાં ડે નાઈટ ક્રિકેટ ટુર્નામેન્ટનું આયોજન
  • દરેેક સમાજની ટુર્નામેન્ટનું વારાફરથી આયોજન કરવામાં આવે છે
  • કોચિંગ સેન્ટરોમાં ક્રિકેટની પાયાથી ટ્રેનિંગ પણ આપવામાં આવે છે

કચ્છ :જિલ્લાના વિવિધ મેદાનો પર ડે નાઈટ ક્રિકેટ ટુર્નામેન્ટનું આયોજન છેલ્લા 5 વર્ષોથી કરવામાં આવી રહ્યું છે. કચ્છમાં અલગ-અલગ મેદાનો પર જુદા-જુદા સમાજની ક્રિકેટ ટુર્નામેન્ટ રમાડવામાં આવી રહી છે. ક્ષત્રિય સમાજ, લોહાણા સમાજ, હિન્દુ પ્રીમિયર લીગ, દશનામ ગોસ્વામી સમાજ, ભાનુશાલી સમાજ, સોની સમાજ, મુસ્લિમ સમાજ, દલિત સમાજ, અખિલ બ્રહ્મસમાજ વગેરે સમાજની વારાફરથી ટુર્નામેન્ટનું આયોજન દર વર્ષે કરવામાં આવતું હોય છે.

કચ્છમાં અવારનવાર જુદા-જુદા સમાજની ટુર્નામેન્ટનું આયોજન થાય છે


કચ્છમિત્ર કપ, હિલશિલ ટુર્નામેન્ટ તથા કચ્છ ક્રિકેટ એસોસિએશન દ્વારા અંડર-16, અંડર-19 જેવી ક્રિકેટ લીગનું પણ આયોજન થતું હોય છે. શાળકક્ષાએ ઉભરતા ક્રિકેટરોને પ્લેટફોર્મ આપવા માટે દર વર્ષે વિવિધ ટુર્નામેન્ટનું આયોજન થતું હોય છે. કચ્છમાં અવારનવાર જુદા-જુદા સમાજની ટુર્નામેન્ટનું આયોજન થતું હોય છે. જેનો મુખ્ય ઉદ્દેશ ખેલાડીઓનું સ્વાસ્થ્ય જળવાઈ રહે તે માટે અને ખેલદિલીની ભાવના વધે તથા ખેલાડીઓમાં રહેલી આવડત બહાર લાવવાનો રહેલો છે.

કોચિંગ સેન્ટરોમાં ક્રિકેટની પાયાથી ટ્રેનિંગ પણ આપવામાં આવે છે


કચ્છમાં ઘણી જગ્યાએ કોચિંગ સેન્ટરોમાં ક્રિકેટની પાયાથી ટ્રેનિંગ પણ આપવામાં આવે છે. ભુજમાં રોયલ ક્લબ, સ્પીડી એકેડમી, માંડવીમાં મસ્કા ક્રિકેટ એકેડમી દ્વારા ક્રિકેટ અંગેની કોચિંગ આપવામાં આવે છે. શાળકક્ષાએ મળતા કોંચિંગમાં પણ ઓલ્ફ્રેડ હાઇસ્કુલના વિષય શિક્ષક મહેશ પંડ્યાનું કોચિંગ સર્વશ્રેષ્ઠ ગણવામાં આવે છે. તેના અંડરમાં આઠ ખેલાડીઓ નેશનલ લેવલે પસંદગી પામી ચુક્યા છે.

આંતર જિલ્લા ક્રિકેટ ટુર્નામેન્ટમાં જામનગરની ટીમને હરાવી ક્વાર્ટર ફાઇનલમાં પ્રવેશ કર્યો

હાલમાં સૌરાષ્ટ્ર ક્રિકેટ એસોસિએશન દ્વારા આયોજિત આંતર જિલ્લા ક્રિકેટ ટુર્નામેન્ટમાં કચ્છ ક્રિકેટ એસોસિએશનની ટીમે જામનગર જિલ્લાની ટીમને તેમના ગ્રાઉન્ડ પીચ પર હરાવીને ક્વાર્ટર ફાઇનલમાં પ્રવેશ કર્યો છે. કચ્છ ક્રિકેટ એસોસિએશનના પ્રમુખ બહાદુરસિંહ જાડેજા, ઉપપ્રમુખ ભરત ધોળકિયા, મંત્રી અતુલ મહેતા, સહમંત્રી પ્રવિણ હિરાણી, અશોક મહેતા, જયેશ મહેતા, મહિપત સિંહ રાઠોડ, તથા સ્પીડી એકેડેમીના મુકેશ ગોર મહેતા અને રોયલ ક્લબના કુલદીપસિંહ જાડેજા ઉભરતા ક્રિકેટરો માટે સતત પ્રયત્નશીલ રહેતા હોય છે.

આ પણ વાંચો : રબારીકા ગામમાં ગૌશાળાના લાભાર્થે રાત્રિપ્રકાશ ટુર્નામેન્ટનું આયોજન



કચ્છના ખેલાડીઓ સમગ્ર ગુજરાતમાં ટુર્નામેન્ટ રમવા જાય છે


કચ્છમાંથી અંડર 19માં લક્કિરાજ સિંહ વાઘેલા, રાજન મહેશ્વરી, જીત ખૈર, કુણાલ કટ્ટા જેવા ખેલાડીઓ સારો એવો દેખાવ કરીને આગળ વધી રહ્યા છે. જ્યારે અંડર 16માં ધ્રુવ ગોસ્વામી, નંદન પટેલ, વૃષભ ગોર, નિર્ભય ઠક્કર પણ પોતાનું કૌશલ્ય બતાવીને રાજ્ય સ્તરે પહોંચી રહ્યા છે. કચ્છના ખેલાડીઓ સમગ્ર ગુજરાતમાં ટુર્નામેન્ટ રમવા જાય છે અને સારો એવો દેખાવ કરીને જુદા-જુદા સ્તરની જુદી-જુદી ટુર્નામેન્ટમાં પસંદગી પામી રહ્યા છે.

કચ્છના ઉભરતા ક્રિકેટરો
કચ્છના ખેલાડીઓ પોતાના શ્રેષ્ઠ પ્રદર્શનથી આગળ વધી રહ્યા છે


કચ્છનો દીપક ગઢવી એક ખૂબ જ સારો ઓલરાઉન્ડર છે. જે જિલ્લા સ્તરે ખૂબ નામ કમાવીને આગળ વધ્યો છે. આ ઉપરાંત દિનેશ નાક રાણી કે જેને કે.સી.એ અંડર 19, ડિસ્ટ્રક્ટ ઓપન, કચ્છ મિત્ર કપ, હિલ્શિલ ટુર્નામેન્ટમાં ખુબ સારો પ્રદર્શન કરીને હાલમાં યુગાન્ડાની ઇન્ટરનેશનલ ટીમમાં સારા એવા ઓલ રાઉન્ડર તરીકે પસંદગી પામ્યો છે. સિઝન બોલ ક્રિકેટમાં મુકેશ ગોર નામનો યુવાન હાલ લંડનમાં રમી રહ્યો છે. ક્ષત્રિય સમાજના હિતેન્દ્રસિંહ જાડેજા, લોહાણા સમાજના દર્શન ઠક્કર, જય કોટક, જયમિત ઠક્કર જેવા ખેલાડીઓ પણ પોતાના શ્રેષ્ઠ પ્રદર્શનથી આગળ વધી રહ્યા છે.

આ પણ વાંચો : પોરબંદરમાં NSUI દ્વારા આયોજીત સ્વ.રાજીવ ગાંધી કપ-2021 ક્રિકેટ ટુર્નામેન્ટનું સમાપન


કચ્છમાં ટર્ફ વિકેટના ગ્રાઉન્ડ ખૂબ ઓછા છે


કચ્છના ખેલાડીઓ ટર્ફ વિકેટ પર લાંબી ઇનિંગ રમી શકતા નથી. કારણ કે, કચ્છમાં ટર્ફ વિકેટના ગ્રાઉન્ડ ખૂબ ઓછા છે. હાલમાં રતનાલ, ગાંધીધામ અને મસ્કા ખાતે જ ટર્ફ વિકેટના ગ્રાઉન્ડ આવેલા છે. જો ભુજમાં અને કચ્છમાં હજુ ત્રણ-ચાર જગ્યાએ આવા ગ્રાઉન્ડ બનાવવામાં આવે તો, કચ્છના ખેલાડીઓ તેના પર પ્રેક્ટિસ કરીને બાહરની ટીમને હરાવી શકે છે. તથા આગળ રાષ્ટ્રીય સ્તરે પસંદગી પામી શકે છે.

IPL અને રણજી ટ્રોફી માટે પસંદગી પામે તેવા ખેલાડીઓ

કચ્છના ખેલાડીઓમાં ભરપુર પ્રમાણમાં સારો પ્રદર્શન કરી શકે તેવી ક્ષમતા રહેલી છે. જેથી તેઓ IPL અને રણજી ટ્રોફી માટે પણ પોતાની દાવેદારી નોંધાવીને પસંદગી પામી શકે છે.

Last Updated : Mar 23, 2021, 10:22 AM IST

ABOUT THE AUTHOR

...view details