- Etv Bharatનું ભૂજના મંદિરોમાં રિયાલિટી ચેક
- કોરોના કહેરથી મંદિરોમાં ભાવિકોની સંખ્યામાં ઘટાડો
- મંદિરમાં સોશિયલ ડિસ્ટન્સ, માસ્ક અને સેનિટાઈઝરનો ઉપયોગ કરવો ફરજિયાત
કચ્છ :વિશ્વભરમાં કોરોનાનો કહેર વધી રહ્યો છે. ત્યારે ભુજના પ્રાચીન અને પ્રસિદ્ધ આશાપુરા મંદિર ખાતે ETV Bharat આવી પહોંચ્યું છે. અહીં રિયાલિટી ચેક કરીશું કે, શું અહી કોરોનાની ગાઇડલાઈનનું પાલન થાય છે કે નહિ. આજે મંગળવાર છે ત્યારે ભુજ શહેરના લોકો મોટી સંખ્યામાં અહીં આશાપુરા માતાજીના દર્શન કરવા આવતા હોય છે.
મંદિરમાં સંચાલકો દ્વારા કોરોના ની ગાઇડલાઇનનું ચુસ્તપણે પાલન
મંદિરના સંચાલકો દ્વારા કોરોના ગાઇડલાઈનનું ચુસ્તપણે પાલન કરાવવમાં આવી રહ્યું છે. ઉપયોગ મંદિરમાં પ્રવેશતા પહેલા કરાવવામાં આવી રહ્યો છે. તથા માસ્ક પહેરીને જ મંદિરમાં પ્રવેશ આપવામાં આવે છે. દર્શન કરવા માટે સોશિયલ ડિસ્ટન્સ જરૂરી છે માટે તેનું પણ પાલન કરાવવામાં આવી રહ્યું છે.
આ પણ વાંચો : ભુજ શહેરમાં ધુળેટીની ઉજવણી અંગે ETV Bharatનું રિયાલિટી ચેક