ગુજરાત

gujarat

ETV Bharat / state

કચ્છમાં ભૂકંપના આંચકાનો સિલસિલો યથાવત, ભચાઉ નજીક 3.4ની તીવ્રતાનો આંચકો નોંધાયો - કચ્છમાં ભૂકંપના આંચકાનો સિલસિલો યથાવત

કચ્છમાં ભૂકંપના આંચકાનો સિલસિલો યથાવત જોવા મળી રહ્યો છે. ભચાઉ નજીક 3.4ની તીવ્રતાનો આંચકો નોંધાયો છે. વર્ષ 2001માં કચ્છમાં આવેલા વિનાશક ભૂકંપ બાદ ખાસ કરીને વાગડની ફોલ્ટલાઈન પર નાના મોટા આફટરશોક નોંધાઈ રહ્યા છે.

earthquake-tremors-continue-in-kutch-magnitude-3-dot-4-quake-near-bhachau
earthquake-tremors-continue-in-kutch-magnitude-3-dot-4-quake-near-bhachau

By ETV Bharat Gujarati Team

Published : Dec 3, 2023, 10:36 PM IST

કચ્છ:આજે ફરી એકવાર ભૂકંપનો આંચકો નોંધાયો છે. જિલ્લામાં ભૂકંપના નાના નાના આંચકાઓનો સિલસિલો આજદિન સુધી યથાવત રહ્યો છે. આજે પૂર્વ કચ્છના ભચાઉ નજીક 3.4ની તીવ્રતાનો ભૂકંપના આંચકો નોંધાયો હતો. પૂર્વ કચ્છના અનેક વિસ્તારમાં આ આંચકો અનુભવાયો હતો. જો કે કોઈ નુકસાનીના સમાચાર સામે આવ્યા નથી. રાત્રિના 8:54 કલાકે આ ભૂકંપનો આંચકો નોંધાયો હતો.

3.4ની તીવ્રતાનો આંચકો:વર્ષ 2001માં કચ્છમાં આવેલા વિનાશક ભૂકંપ બાદ ખાસ કરીને વાગડની ફોલ્ટલાઈન પર નાના મોટા આફટરશોક નોંધાઈ રહ્યા છે. ત્યારે નાના નાના આંચકાઓનો સિલસિલો આજ સુધી યથાવત રહ્યો છે. આજે રાત્રીના સમયે 8:54 કલાકે 3.4ની તીવ્રતા સાથેના ભૂંકપના આંચકાથી કચ્છના ભચાઉ, દુધઈ અને રાપર વિસ્તારમાં કંપનની અસર થઈ હતી. ભૂકંપનો આંચકો ભચાઉથી 21 કિલોમીટર દૂર નોર્થ - નોર્થ ઈસ્ટમાં નોંધાયો હતો. ઉલ્લેખનીય છે કે કચ્છના વાગડ વિસ્તારમાં અવારનવાર ભૂકંપના આંચકાઓ ફોલ્ટલાઈન પર નોંધાતા હોય છે અને જે છેલ્લાં થોડાક સમયથી સક્રિય થઈ છે.

વાગડ વિસ્તારની ફોલ્ટ લાઈન પર અવારનવાર નોંધાય છે આંચકાઓ:પૂર્વ કચ્છના વાગડ વિસ્તારમાં આવેલ ભૂકંપની ફોલ્ટ લાઈન પર અવારનવાર 1.8.થી 4.5 સુધીની તીવ્રતાના આંચકાઓ નોંધાતા આવ્યા છે. ખાસ કરીને ભચાઉ, રાપર, દુધઈની આસપાસના વિસ્તારમાં અવારનવાર આંચકાઓ અનુભવાતા હોય છે. જ્યારે પશ્ચિમ કચ્છમાં ભાગ્યે જ આંચકાઓ નોંધાતા હોય છે. આજે સવારે ફરી વાગડ વિસ્તારમાં લોકોએ ભૂકંપનો આંચકો અનુભવ્યો હતો.

4થી વધુ તીવ્રતાના આંચકાના સમયે લોકોમાં ભય:કચ્છમાં વર્ષ 2001ના ભૂકંપ બાદ જેટલી પણ ફોલ્ટ લાઈન છે તે ફોલ્ટ લાઈનની સક્રિય થઈ છે અને તેની આસપાસ જ છેલ્લાં કેટલાક સમયથી ભૂકંપના આંચકાઓ નોંધાઈ રહ્યા છે.અવારનવાર આવતા નાની તીવ્રતાના આંચકાઓને લીધે કોઈ પણ પ્રકારની નુકસાનીના સમાચાર સામે નથી આવી રહ્યા પરંતુ 4થી વધુ તીવ્રતાના આંચકાના સમયે ક્યારેક લોકોમાં ભય પણ ફેલાય છે.

  1. કચ્છની ધરા ફરીથી ધ્રુજી, ભચાઉ નજીક 3.3ની તીવ્રતાનો આંચકો નોંધાયો
  2. ફરી કચ્છની ધરા ધ્રુજી, ભારત-પાકિસ્તાન બોર્ડર નજીક 2.9ની તીવ્રતાનો ભૂકંપનો આંચકો નોંધાયો

For All Latest Updates

ABOUT THE AUTHOR

...view details