ગુજરાત

gujarat

Deworming Week 2022 In Kutch : બાળકોની રોગપ્રતિકારક શક્તિ ઘટાડતા રોગને જાણો અને સમયસર સારવાર કરાવો

બાળકોની તંદુરસ્તી સારી રીતે જળવાય તે માટે કચ્છ જિલ્લા આરોગ્યતંત્ર દ્વારા અવારનવાર બાળ આરોગ્ય વિષયક કામગીરી (Deworming Week 2022 In Kutch ) કરવામાં આવે છે. જાણો આજકાલ શી કામગીરી થઈ રહી છે.

By

Published : Feb 19, 2022, 2:25 PM IST

Published : Feb 19, 2022, 2:25 PM IST

ETV Bharat / state

Deworming Week 2022 In Kutch : બાળકોની રોગપ્રતિકારક શક્તિ ઘટાડતા રોગને જાણો અને સમયસર સારવાર કરાવો

Deworming Week 2022 In Kutch : બાળકોની રોગપ્રતિકારક શક્તિ ઘટાડતા રોગને જાણો અને સમયસર સારવાર કરાવો
Deworming Week 2022 In Kutch : બાળકોની રોગપ્રતિકારક શક્તિ ઘટાડતા રોગને જાણો અને સમયસર સારવાર કરાવો

કચ્છઃ કચ્છ જિલ્લામાં 19 વર્ષની ઉંમર સુધીના 5,20,038 બાળકોને કૃમિનાશક Albendazole ગોળી (Free worm control pill In India) આપવામાં આવી તેમજ 9 માસથી 5 વર્ષ સુધીના 1,75,693 બાળકોને વિટામિન A સિરપ (Deworming Week 2022 In Kutch ) પીવડાવવામાં આવ્યો છે.

5,20,038 બાળકોને કૃમિનાશક Albendazole ગોળી આપવામાં આવી

બાળકોની સ્વાસ્થ્યસંભાળ ખૂબ જ અગત્યની

9 માસથી 19 વર્ષની ઉંમર બાળકો માટે એવી હોય છે જેમાં તેમના સ્વાસ્થ્યની દેખભાળ વધારે રાખવી પડે છે અને તેમના શરીરની તંદુસ્તી જાળવવા માટે કાળજી રાખવી પડે છે. ખાસ કરીને બાળકોની તંદુરસ્તીમાં કૃમિઓની (Deworming Week 2022 In Kutch ) અસર ન થાય તે માટે આરોગ્યતંત્ર (National Deworming Week 2022) પણ એલર્ટ રહેતું હોય છે અને સમયસર 9 માસથી 19 વર્ષની ઉંમરના બાળકોને દવા પીવડાવવામાં આવતી હોય છે, જેથી કરીને શારીરિક રોગપ્રતિકારક ક્ષમતા જળવાઈ રહે.

બાળકોને Albendazole ની ગોળી આપવામાં આવી

કચ્છ જિલ્લામાં National Deworming Day એટલે કે 10 ફેબ્રુઆરીથી 1 વર્ષથી 19 વર્ષના બાળકોને Albendazole ની ગોળી આપવાનું (Deworming Week 2022 In Kutch ) શરૂ કરવામાં આવ્યું હતું. 2 વર્ષ સુધીની ઉંમરના બાળકોને અડધી ગોળી અને 2 થી 19 વર્ષની ઉંમરના બાળકોને આખી ગોળી આપવાનું કામ (Kutch Health Department ) કચ્છના ફિમેલ હેલ્થ વર્કર, આશા વર્કર અને MPHW સાથે રહીને કરવામાં આવ્યું હતું.

આરોગ્ય અને પરિવાર કલ્યાણ મંત્રાલય દ્વારા દવાનો ડોઝ

રાષ્ટ્રીય કૃમિનાશક દિવસથી 1 થી 19 વર્ષની વયના તમામ બાળકોમાં આંતરડાના કૃમિના ચેપની સારવાર માટેનો એક નિશ્ચિત-દિવસનો (Worm problem in children In india) અભિગમ છે અને દર વર્ષે 10 ફેબ્રુઆરી અને 10 ઓગસ્ટે યોજવામાં આવે છે.આરોગ્ય અને પરિવાર કલ્યાણ મંત્રાલય દ્વારા બાળકો અને કિશોરોના આંતરડામાં પરોપજીવી કૃમિનો વ્યાપ ઘટાડવા માટે કૃમિનાશક દવાનો ડોઝ (Deworming Week 2022 In Kutch ) આપવામાં આવે છે.

કૃમિ સંક્રમણના કારણે બાળકો કુપોષણના શિકાર બને છે

બાળકોના આંતરડામાં કૃમિ સંક્રમણના કારણે બાળકો કુપોષણના શિકાર બને છે અને તેમના શરીરમાં લોહીની ઉણપ પણ જણાય છે જેના કારણે બાળકોને વધારે થાક લાગે છે અને પરિણામે બાળકોનો શારીરિક અને માનસિક વિકાસ પણ સંપૂર્ણપણે થતો નથી.જો બાળકને ભૂખ ન લાગે , સતત ઝાડા રહેતા હોય અથવા તો તેને એનીમિયા હોય તો તેનો અર્થ એ કે તે કુપોષિત છે અને તેના આંતરડામાં કૃમિ છે માટે તે દૂર કરવા માટે Albendazole ની ગોળી બાળકોને લેવી જોઈએ જેથી તેના આંતરડામાંથી કૃમી (Deworming Week 2022 In Kutch ) નાશ થાય છે.

ટાર્ગેટ સ્ટેટ બોર્ડ તરફથી મળ્યો હતો

આ અંગે ETV Bharat સાથે વાતચીત કરતાં અધિક જિલ્લા આરોગ્ય અધિકારી ડૉ. પ્રેમકુમાર કન્નરે જણાવ્યું હતું કે, કચ્છ જિલ્લાને આ કૃમિનાશક દવા આપવા માટે 7,44,818 નો ટાર્ગેટ સ્ટેટ બોર્ડ તરફથી (Deworming Week 2022 In Kutch ) મળ્યો હતો. જેની સામે 19 વર્ષથી નીચેની ઉંમરના 5,20,038 બાળકોને આ Albendazole ગોળી આપવામાં આવી હતી. કૃમિના ચેપની સારવાર માટેનો એક નિશ્ચિત-દિવસનો અભિગમ છે અને દર વર્ષે 10 ફેબ્રુઆરી અને 10 ઓગસ્ટે યોજવામાં આવે છે.

આ પણ વાંચોઃ National Deworming Week 2022: કૃમિમુકત ભારત ક્યારે બનશે? હજુ પણ 64 ટકા બાળકો છે કૃમિના શિકાર

કચ્છ જિલ્લામાં 1,75,693 બાળકોને વિટામિન A ની શીરપ પીવડાવવામાં આવી

બાળકોને કૃમિનાશક દવાની સાથે સાથે વિટામિન A ની સિરપ પણ બાળકોને (Deworming Week 2022 In Kutch ) પીવડાવવામાં આવે છે. 9 માસથી 5 વર્ષની ઉંમરના બાળકોને આ વિટામિન A ની સિરપની એક ચમચી પીવડાવવામાં આવે છે.સ્ટેટ તરફથી વિટામિન A પીવડાવવા માટે પણ ટાર્ગેટ આપવામાં આવ્યો હતો જે 1,84,000 બાળકોનું હતું જેની સામે કચ્છ જિલ્લામાં 1,75,693 બાળકોને વિટામિન A ની સિરપ પીવડાવવામાં આવી છે એટલે કે લગભગ 95.49 ટકા જેટલી કામગીરી થઈ છે.

કૃમિનાશક ટેબ્લેટના ફાયદાઓ

બાળકોને જે કૃમિનાશક ટેબ્લેટ અને વિટામિન A આપવામાં આવે છે તેના કારણે બાળકોના પેટમાં કૃમિઓનો નાશ થાય છે અને રોગપ્રતિકારક શક્તિ વધે છે. બાળકોને Albendazole ની ગોળી આપવાથી એનિમિયા કંટ્રોલમાં (Measures to prevent worm infections ) આવે છે, પોષણના શોષણમાં સુધારો થાય છે. બાળકોની એકાગ્રતા, શીખવાની ક્ષમતા અને આંગણવાડી/શાળામાં હાજરી (Deworming Week 2022 In Kutch ) સુધારવામાં મદદ કરે છે તેમજ બાળકોની કાર્ય ક્ષમતા સુધારવામાં પણ મદદ કરે છે તો સાથે સાથે પર્યાવરણમાં પણ કૃમિઓની સંખ્યામાં ઘટાડો થાય છે.

આ પણ વાંચોઃ માટી દ્વારા ફેલાતો કૃમિનો ચેપ અને કૃમિ દૂર કરવા

બાળકોને આ કૃમિનાશક ગોળી આપવા વાલીઓને અપીલ

ગ્રામ્ય વિસ્તારોમાં બાળકો માટીમાં રમતા હોય છે ત્યારે કૃમિ થવાની શક્યતા વધારે રહેતી હોય છે માટે જ્યારે આરોગ્ય અને પરિવાર કલ્યાણ મંત્રાલય દ્વારા આ પ્રોગ્રામ ચલાવવામાં આવી રહ્યું છે તે ગ્રામ્ય વિસ્તારના બાળકો માટે (Deworming Week 2022 In Kutch ) આશીર્વાદરૂપ છે અને દરેક વાલીઓએ આ પ્રોગ્રામનો લાભ લેવો જોઈએ અને પોતાના બાળકોને આ કૃમિનાશક ગોળી અપાવવી જોઈએ.

ABOUT THE AUTHOR

...view details