- PGVCL પોલ પરથી વાયરો દુર કરવાના જાહેરનામાને મોફુક રાખવાની માંગ
- 90 ટકા વાયરો ફાઈબર ઓપ્ટિક્સ છે જેમાંથી વિદ્યુત પ્રવાહ વહેતો નથી
- તમામ સરકારી, ખાનગી ઓફિસો, બેંકો, શાળા, કોલેજો અને યુનવર્સિટીઓમાં નેટ આ વાયરોથી જ ચાલે છે
કચ્છઃ કલેકટર દ્વારા 18 ફેબ્રુઆરીના રોજ PGVCLના પોલ અને ટેલિફોનના થાંભલા પરથી વાયરો દૂર કરવા બાબતે જાહેર નામું બહાર પાડવામાં આવ્યું હતું. તે સંદર્ભે PGVCL દ્વારા કેબલ ઓપરેટરોને નોટિસ આપવામાં આવી હતી. જેમાં 6 માર્ચ સુધી વાયરો પોલ પરથી દૂર કરવામાં નહીં આવે તો પોલીસ પ્રોટેક્શન સાથે વાયરો કાપી નાખવામાં આવશે તેમ જણાવાયું હતું. જોકે, તમામ સરકારી કચેરીઓમાં જે ઓનલાઇન કાર્ય ચાલી રહ્યું છે તે આજ વાયરો દ્વારા ચાલે છે અને બેંક, યુનિવર્સિટી, કોલેજ શાળાઓ કે ખાનગી ઓફિસોમાં નેટ પણ આ જ વાયરોથી ચાલે છે. તેમજ ન્યૂઝ ચેનલો અને મનોરંજન પણ આ જ વાયરો દ્વારા પહોંચાડવામાં આવે છે જેથી આ જાહેરનામાને મોકૂફ રાખવા માટે માંગણી કરવામાં આવી હતી.
આ પણ વાંચોઃ રાજકોટમાં PGVCL કર્મચારીનો વિરોધ, રાજ્યના 7 યુનિયન દ્વારા આંદોલનને સમર્થન