ગુજરાત

gujarat

ETV Bharat / state

કચ્છમાં આંગણવાડીઓના લાભાર્થીઓની આધાર લીંકની કામગીરી શરૂ, ભ્રષ્ટાચાર સહિતના પ્રશ્નોનો આવશે અંત - લાભાર્થીઓના આધાર લિંક કરવાની કામગીરી શરૂ

ગુજરાતની આંગણવાડીઓમાં પોષણનો ભ્રષ્ટાચાર એ કોઇ નવી વાત નથી, ત્યારે હવે આગામી સમયમાં ભ્રષ્ટાચાર નિવારવા ઉપરાંત ચોક્કસ લાભાર્થીઓને લાભ મળે અને સરકારી આયોજન યોગ્ય રીતે થાય તે માટે જિલ્લામાં આવેલી આંગણવાડીઓના લાભાર્થીઓના આધાર લીંક કરવાની કામગીરી હાથ ધરવામાં આવી છે.

લાભાર્થીઓની આધાર લીંકની કામગીરી શરૂ
લાભાર્થીઓની આધાર લીંકની કામગીરી શરૂ

By

Published : Jun 26, 2020, 12:02 AM IST

કચ્છ : કચ્છ સહિત ગુજરાત ભરની આંગણવાડીઓમાં બાળકો, સગર્ભા મહિલાઓ અને સગીરાઓ માટેના પૂરક પોષણના ભ્રષ્ટાચાર નવી વાત નથી, ત્યારે હવે આગામી સમયમાં ભ્રષ્ટાચાર નિવારવા ઉપરાંત ચોક્કસ લાભાર્થીઓને લાભ મળે અને સરકારી આયોજન યોગ્ય રીતે થાય તે માટે જિલ્લામાં આવેલી આંગણવાડીઓના 2.24 લાખ લાભાર્થીઓના આધાર લીંક કરવાની કામગીરી હાથ ધરવામાં આવી છે. આધાર ન હોય તેવા લાભાર્થીઓને આધાર બનાવવા માટે ખાસ કીટ પણ ફાળવવામાં આવી છે.

આંગણવાડીઓના લાભાર્થીઓની આધાર લીંકની કામગીરી શરૂ

જિલ્લા પંચાયતના મહિલા બાળ વિકાસ વિભાગના પ્રોગ્રામ ઓફીસર ઇરાબેન ચૌહાણે ETV BHARAT સાથે ખાસ વાતચીત કરતા જણાવ્યું હતું કે ગુજરાતની સૌથી મોટી બીજી યોજના પર કામ થયું હોય તો તે મહિલા બાળ વિકાસનું છે. 24 કરોડનું બજેટ ધરાવતી આ યોજના 0 થી 6 વર્ષ સુધીના બાળકો, સગર્ભા મહિલા અને ધાત્રી માતાઓ 11થી 18 વર્ષની કિશોરીઓને પૂરક પોષણ આપવામાં આવે છે. જેમાં દરેક દીઠ દિવસનો રૂપિયા નવનો ખર્ચ થાય છે. હવે આ લાભાર્થીઓને વ્યાજબી રીતે ચોક્કસ લાભ મળે તે જરૂરી છે અને તેમાં ભ્રષ્ટાચાર સહિતની બાબતોની ચકાસણી સૌથી મોટો પ્રશ્ન છે. જેથી હવે લાભાર્થીઓના આધારકાર્ડ લિંક કરવાનું શરૂ કરવામાં આવ્યું છે.

લાભાર્થીઓની આધાર લીંકની કામગીરી શરૂ
ઈરાબેને વધુમાં જણાવ્યું હતુ કે કચ્છના ગામડે ગામડે તમામ લાભાર્થીઓના કાર્ડ લિંક કરવા માટે 12મી જુનથી ખાસ આધારકાર્ડ રજીસ્ટર કરાવાયું છે. આ રીતે હાલે 8 કીટ વડે કામગીરી યોજાઇ રહી છે. કચ્છમાં તમામ લાભાર્થીઓ પૈકી 36% લાભાર્થી લિંક થયા છે જ્યારે 74 ટકા કામગીરી ચાલી રહી છે. આ કાર્ડ લિંક બાદ તમામ લાભાર્થીઓ માટે ચોક્કસથી ખાસ આયોજન થઈ શકશે. આ માટે માઇક્રો પ્લાનિંગ કરાયું છે
લાભાર્થીઓની આધાર લીંકની કામગીરી શરૂ
નોંધનીય છે કે આંગણવાડીઓમાં લાભાર્થીઓના ખોટા નામ ઉમેરી અનાજ પોષણ સહિતના બાબતોમાં વ્યાપક ભ્રષ્ટાચાર થાય છે. જેના અનેક કિસ્સા પણ સામે આવી ચૂક્યા છે. ઓનલાઇન અને ડિઝિટલ લાઇસન્સ સાથે સાચા અને ખરા લાભાર્થીઓ સુધી હવે આ હક્ક પહોંચશે.

ABOUT THE AUTHOR

...view details