- ખીમજી રામદાસ કંપનીના ચેરમેનને હિન્દુ શેખનું બિરુદ અપાયું
- માંડવીના કનકશેઠ બાદ પહેલી વાર આ બિરુદ આપવામાં આવ્યું
- બિરુદની સ્વીકૃતિ બદલ અનિલભાઈએ કાગળો પર હસ્તાક્ષર કર્યા
કચ્છ:ઓમાનનામસ્કતમાં રહેતા કચ્છના આન બાન શાન તરીકે વ્યવસાયિક સામ્રાજ્ય સર્જનારા અને ધીંગા દાનવીર કહેવાતા ખીમજી રામદાસ પરિવારને વધુ એકવાર "હિન્દુ શેખ" નો ખિતાબ અર્પણ કરવામાં આવ્યો. તાજેતરમાં પરિવારના મોભી મસ્ક્તમાં એકમાત્ર 'હિન્દુ શેખ' ના ખિતાબ વડે નવજાયેલા શેઠ કનકશી ચાડના મૃત્યું બાદ એ ખિતાબ ખીમજી પરિવારના મોભી અને કનકશેઠના કાકાજી ભાઈ એવા અનિલ મથરાદાસ ખીમજીને અર્પણ કરવામાં આવ્યો છે. આ સાથે, જ માદરે વતનમાં આનંદ પ્રસરી ગયો હતો. સુલતાનની વડી કચેરી 'વલી કચેરી' એથી આવેલા કાગળો પર સ્વીકૃતિ બદલ અનિલભાઈએ હસ્તાક્ષર કર્યા હતા.
આ પણ વાંચો:21 વર્ષીય યુવતી રાષ્ટ્રીય સ્તરે ઝળકી, 70,097 મહિલા કોડરને હરાવીને ગીક ગોડેસનું બિરુદ મેળવ્યું
અગાઉ સ્વ. શેઠ કનકશીને આ ખિતાબ અપાયો હતો