ગુજરાત

gujarat

ETV Bharat / state

ભુજની દૈનિક 50 MLD પાણીની જરૂરિયાત સામે 15 MLDની ઘટ

ભુજ નગરપાલિકા પાસે મોજૂદ આંતરિક વ્યવસ્થા પ્રમાણે અમુક વિસ્તારોમાં એકાંતરે પાણી વિતરણ કરવામાં આવી રહ્યું છે, જ્યારે અમુક વિસ્તારમાં ત્રણ-ચાર દિવસે તેમજ છેવાડાનાં વિસ્તારોમાં ચાર-પાંચ દિવસે પાણી વિતરણ કરવામાં આવી રહ્યું છે. જોકે, 15 MLD (મિલિયન ઓફ લિટર પર ડે) પાણીની ઘટને પૂર્ણ કરવા માટે પાલિકા દ્વારા પાણી પુરવઠા બોર્ડને લેખિતમાં રજૂઆત કરવામાં આવી છે. નર્મદાના હાલે મળતાં પાણીમાં 5 MLD(મિલિયન ઓફ લિટર પર ડે) નો વધારો કરાશે તો ઉનાળામાં પાણીની સમસ્યા નહીં સર્જાય.

By

Published : Mar 22, 2021, 5:57 PM IST

50 MLDની જરૂરિયાત સામે માત્ર 35 MLD પાણી મળે છે
50 MLDની જરૂરિયાત સામે માત્ર 35 MLD પાણી મળે છે

  • કોઇક વિસ્તારોમાં એકાંતરે તો કોઇક વિસ્તારોમાં, ચાર-પાંચ દિવસે પાણી વિતરણ
  • ઘટ પૂર્ણ કરવા માટે પાણી પુરવઠા બોર્ડને લેખિતમાં રજૂઆત
  • નર્મદાનાં પાણીની આવક વધી જશે તો ઉનાળામાં પાણીની સમસ્યા નહીં સર્જાય
  • 50 MLDની જરૂરિયાત સામે માત્ર 35 MLD પાણી મળે છે

કચ્છ: જિલ્લાના ભુજ શહેરની અઢી લાખ જેટલી વસતીને દૈનિક 50 MLD (મિલિયન ઓફ લિટર પર ડે) પાણીની જરૂરિયાત રહેતી હોય છે. જેની સામે પાલિકા દ્વારા નર્મદા, એર વાલ્વ તથા બોરની મદદથી 35 MLD પાણી મેળવવામાં આવી રહ્યું છે. જ્યારે દૈનિક 15 MLD પાણીની ઘટને પૂર્ણ કરવા માટે કોઇક વિસ્તારોમાં એકાંતરે તો કોઇક વિસ્તારોમાં, ચાર-પાંચ દિવસે પાણી વિતરણ કરવામાં આવી રહ્યું છે.

આ પણ વાંચો:જામનગર જિલ્લાની 1,409 આંગણવાડીઓમાં બાળકોને મળી રહ્યું છે શુદ્ધ પીવાનું પાણી

ભુજ નગરપાલિકા દ્વારા પાણી પુરવઠા બોર્ડને લેખિતમાં રજૂઆત

ઉનાળાને ધ્યાને લઇને 15 MLD પાણીની ઘટ પૂર્ણ કરવા માટે ભુજ નગરપાલિકા દ્વારા પાણી પુરવઠા બોર્ડને લેખિતમાં રજૂઆત પણ કરી દેવામાં આવી છે, ત્યારે નર્મદાનાં પાણીની આવક વધી જશે તો ઉનાળામાં પાણીની સમસ્યા નહીં સર્જાય. અન્યથા છેવાડાના વિસ્તારોમાં પાણીની સમસ્યા યથાવત્ રહેશે.

ઘટ પૂર્ણ કરવા માટે પાણી પુરવઠા બોર્ડને લેખિતમાં રજૂઆત

32 MLD પાઇપ લાઇન અને એર વાલ્વ મારફતે પાણી મેળવવવા આવી રહ્યું છે

ભુજ શહેરની અઢી લાખ જેટલી વસ્તીની દૈનિક પાણીની જરૂરિયાત 50 MLD છે. જેની સામે હાલનાં સમયે પાલિકાને દૈનિક 32 MLD પાણી, પાઇપ લાઇન અને એર વાલ્વ મારફતે મળી રહ્યું છે. આ સિવાય પાલિકાનાં સ્થાનિક બોરમાંથી 3 MLD પાણી મળીને કુલ 35 MLD પાણીનું વિતરણ કરવામાં આવી રહ્યું છે.

આ પણ વાંચો:જામનગર મહાનગરપાલિકાના ડેપ્યુટી કમિશ્નરને સ્થાનિકોએ દૂષિત પાણી મુદ્દે આપ્યું આવેદનપત્ર

નર્મદાનાં પાણીની આવક વધી જશે તો ઉનાળામાં પાણીની સમસ્યા નહીં સર્જાય

નગરપાલિકા પાસે હાલની આંતરિક વ્યવસ્થા પ્રમાણે અમુક વિસ્તારોમાં એકાંતરે પાણી વિતરણ કરવામાં આવી રહ્યું છે, જ્યારે અમુક વિસ્તારમાં ત્રણ-ચાર દિવસે તેમજ છેવાડાનાં વિસ્તારોમાં ચાર-પાંચ દિવસે પાણી વિતરણ કરવામાં આવી રહ્યું છે. જોકે, 15 MLD પાણીની ઘટને પૂર્ણ કરવા માટે પાલિકા દ્વારા પાણી પુરવઠા બોર્ડને લેખિતમાં રજૂઆત કરવામાં આવી છે, નર્મદાના હાલે મળતાં પાણીમાં 15 MLDનો વધારો કરાશે તો ઉનાળામાં પાણીની સમસ્યા નહીં સર્જાય.

ABOUT THE AUTHOR

...view details