ગુજરાત

gujarat

ETV Bharat / state

કચ્છમાં મ્યુકરમાઈકોસિસનો કહેર, ચોબારી ગામના 3 કેસો પૈકી 2 મોત - મ્યુકરમાઇકોસિસના દર્દીઓ વધ્યા

સમગ્ર ગુજરાતની સાથે કચ્છમાં પણ કોરોનાની મહામારી દરમિયાન જેમને કોરોના થયો હોય તેવા દર્દીઓમાં 10થી 15 દિવસ બાદ મ્યુકરમાઇકોસિસના અસર જોવા મળી રહ્યા છે. જેમાં, ચોબારી ગામના 3 કેસો પૈકી 2 વ્યક્તિના મૃત્યુ થયા હતા.

કચ્છમાં મ્યુકરમાઈકોસિસનો કહેર, ચોબારી ગામના 3 કેસો પૈકી 2 મોત
કચ્છમાં મ્યુકરમાઈકોસિસનો કહેર, ચોબારી ગામના 3 કેસો પૈકી 2 મોત

By

Published : May 20, 2021, 11:01 PM IST

  • કચ્છ જિલ્લામાં કોરોના બાદ મ્યુકરમાઇકોસિસના દર્દીઓ વધ્યા
  • ભુજની જનરલ હોસ્પિટલમાં હાલમાં 8 દર્દીઓ સારવાર હેઠળ
  • ચોબારી ગામના 3 કેસ પૈકી 2ના મોત થયા
  • મ્યુકરમાઇકોસીસ ગામડાના વિસ્તારોમાં પણ ફેલાયો

કચ્છ: કોરોના મહામારીના માહોલ વચ્ચે હવે મ્યુકરમાઈકોસિસના દર્દીઓના દર્દીઓ સામે આવી રહ્યા છે. ત્યારે, કચ્છમાં પણ જીવલેણ રોગ મ્યુકરમાઈકોસિસના દર્દીઓમાં વધારો થઈ રહ્યો છે. શહેર તથા હવે ગામડાના વિસ્તારોમાં પણ આ રોગ હવે જોવા મળી રહ્યો છે. કચ્છ જિલ્લાના ભચાઉ તાલુકાના ચોબારી ગામે મ્યૂકરમાઈકોસિસના 3 દર્દીઓ આ ગંભીર બીમારીના શિકાર બની ગયા હતા. જેમાંથી 2 વ્યક્તિના ખાનગી હોસ્પિટલમાં સારવાર દરમિયાન મોત નીપજ્યું હતું.

આ પણ વાંચો:જામનગરમાં મ્યૂકોરમાઈકોસિસ રોગના દર્દીઓ માટે મેન્ટલ હોસ્પિટલ ખાતે સારવાર કેન્દ્ર શરૂ કરાયું

મગજમાં પણ ફંગસ ફેલાયું

ભચાઉ તાલુકાના ચોબારી ગામના 42 વર્ષીય ગોકળ ચાવડા નામના વ્યક્તિને 20-22 દીવસ પહેલા કોરોના થયો હતો. જેની સારવાર બાદ તે સ્વસ્થ બન્યા હતા. તેમ છતાં શારીરિક તકલીફ વધી જતાં અમદાવાદ લઈ જવામાં આવ્યા હતા. જ્યાં, તેમનો કોરોના રિપોર્ટ ફરી પોઝિટિવ આવતા રાજકોટની વોકહાર્ટ હોસ્પિટલમાં ખસેડાયા હતા. આ ઉપરાંત, આંખમાં ફેલાયેલા ફંગસને દૂર કરવા તેમની સર્જરી કરવામાં આવી હતી. પરંતુ, કોઈ ફર્ક ન પડતા, તપાસ કરતા મગજમાં પણ ફંગસ ફેલાયું હોવાનું જાણવા મળ્યુ હતું. આથી, તેની સર્જરી અશક્ય હોવાનું જાણવા મળતા અંતે ચોબારી પરત લઈ લવાયા હતા, જ્યાં તેમનું ગઈકાલે બુધવારે મૃત્યુ થયું હતું.

મ્યુકરમાઈકોસિસની સારવાર માટેના ઈન્જેકશનના અભાવે મૃત્યુ

ચોબારી ગામના જ અન્ય એક 48 વર્ષના મહિલા દર્દીનું પણ મ્યુકરમાઈકોસિસના કારણે એક ખાનગી હોસ્પિટલમાં સારવાર બાદ મૃત્યુ નીપજ્યું છે. મ્યુકરમાઈકોસિસની સારવાર માટે ઉપયોગમાં લેવાતા ઈન્જેક્શનના અભાવે આ મૃત્યુ થયું હોવાનું જાણવા મળ્યું હતું.

આ પણ વાંચો:મ્યુકોરમાઇકોસીસથી બનાસકાંઠા જિલ્લામાં પ્રથમ મોત

ભુજની જનરલ હોસ્પિટલમાં હાલમાં મ્યુકરમાઇકોસિસના 8 કેસો

ભુજની સરકારી જી.કે. જનરલ હોસ્પિટલના મેડીકલ સુપ્રિટેન્ડ ડો. નરેન્દ્ર હીરાણીને મ્યુકરમાઈકોસિસના દર્દીઓ વિશે જણાવ્યું હતું કે, છેલ્લા 15 દિવસમાં આ ગંભીર બીમારીના દર્દીઓની સંખ્યામાં વધારો દેખાઈ રહ્યો છે. આ પૂર્વે જી.કે.માં 2 દર્દીઓ આ બીમારીની સારવાર હેઠળ દાખલ હતા. તેના સ્થાને હવે 8 દર્દીઓ આ રોગની સારવાર લઈ રહ્યા છે.

ABOUT THE AUTHOR

...view details