ગુજરાત

gujarat

By

Published : Oct 14, 2020, 10:18 PM IST

ETV Bharat / state

વડતાલ ધામમાં રાજોપચાર પૂજન કરાયું, પુષ્પ પાંદડીઓથી દેવોનો અભિષેક કરાયો

વડતાલ નિજમંદિરમાં સવારે દેવોનું રાજોપચાર પૂજન થયું હતું. ત્રણેય દેરામાં ભૂદેવો દ્વારા પૂજા વિધિ કરાવાઈ હતી. દેવોને ઈલાયચીના વાઘા શણગારથી વિભૂષિત કરવામાં આવ્યા હતા. અધિક માસના વિશેષ પ્રતીક ઉત્સવોમાં રાજોપચાર પૂજનથી સૌ ભાવિકો પ્રભાવિત થયા હતા. દેવોને રીઝવવા માટે સંગીતના સથવારે વિદ્યાર્થી દ્વારા દેવ સમક્ષ નૃત્ય રજૂ કરવામાં આવ્યું હતું.

વડતાલ ધામમાં દેવોની પૂજન વિધિ યોજવામાં આવી
વડતાલ ધામમાં દેવોની પૂજન વિધિ યોજવામાં આવી

વડતાલઃ અગાઉના જમાનામાં રાજા-મહારાજાઓ દ્વારા સુખ સંપત્તિ તથા પ્રજા કલ્યાણ અર્થે દેવોને રીઝવવા રાજોપચાર પૂજન વિધિ તથા યજ્ઞો થતા હતા. યાત્રાધામ વડતાલ મંદિરમાં સાક્ષાત સ્વરૂપે બિરાજમાન રાજાધિરાજ શ્રી હરિકૃષ્ણ મહારાજ તથા શ્રી લક્ષ્મીનારાયણ દેવનું સમૈયા ઉત્સવ પ્રસંગે રાજોપચાર પૂજન થતું આવ્યું છે.

વડતાલ ધામમાં દેવોની પૂજન વિધિ યોજવામાં આવી

પૂજનમાં તમામ કીમતી વસ્તુનો ઉપયોગ કરવામાં આવ્યો હતો. તેમજ પુષ્પ પાંદડીઓથી દેવોનો અભિષેક થાય છે. દેવોને રીઝવવા માટે નિજમંદિરમાં સંગીતના સથવારે દેવો સમયક્ષ કથક નૃત્ય થાય છે. અહીં નૃત્ય પૂજનના એક ભાગરૂપે છે.

વડતાલ ધામમાં દેવોની પૂજન વિધિ યોજવામાં આવી

વડતાલ મંદિરમાં પુરુષોત્તમ માસની ઉજવણી અંતર્ગત પ્રતીક ઉત્સવ ઊજવાઈ રહ્યા છે. જે અંતર્ગત દેવોનું રાજોપચાર પૂજન કરવામાં આવ્યું હતું. આ વિધિ પુરોહિત ધીરેનભાઈ ભટ્ટ અને ભૂદેવોએ મંત્રોચ્ચાર સાથે કરાવી હતી.

ABOUT THE AUTHOR

...view details