ગુજરાત

gujarat

મહેમદાવાદ મામલતદાર કચેરીએ પરપ્રાંતીયોનો હોબાળો, ભુપેશ બઘેલની હાય બોલાવી રોષ

By

Published : May 8, 2020, 11:26 PM IST

છત્તીસગઢની ટ્રેન અડધા કલાક પહેલાં જ કોઈ કારણોસર છત્તીસગઢ સરકારે ટ્રેનની પરવાનગી રદ્દ કરી દેતા નડિયાદથી છત્તીસગઢ જતી ટ્રેન રદ્દ કરવામાં આવી હતી.

workers are angry because of train cancellation
ખેડાની મહેમદાવાદ મામલતદાર કચેરીએ પરપ્રાંતિય શ્રમિકોએ મચાવ્યો હોબાળો

ખેડાઃ છત્તીસગઢની ટ્રેન અડધા કલાક પહેલાં જ કોઈ કારણોસર છત્તીસગઢ સરકારે ટ્રેનની પરવાનગી રદ્દ કરી દેતા નડિયાદથી છત્તીસગઢ જતી ટ્રેન રદ્દ કરવામાં આવી હતી. જેને લઈ શ્રમિકોએ મહેમદાવાદ મામલતદાર કચેરીએ હોબાળો મચાવ્યો હતો.

ખેડાની મહેમદાવાદ મામલતદાર કચેરીએ પરપ્રાંતિય શ્રમિકોએ મચાવ્યો હોબાળો

ખેડા જિલ્લામાં વિવિધ ક્ષેત્રે કામ કરવા આવેલ પરપ્રાંતીયોને પરત તેમના વતનમાં મોકલવાની કામગીરી ચાલી રહી છે. ત્રણ દિવસમાં યુપી અને બિહાર માટે વિશેષ ત્રણ ટ્રેન મારફતે હજારો શ્રમિકોને વતન પરત મોકલ્યા બાદ આજે વધુ એક ટ્રેન મારફતે 1100થી વધુ છત્તીસગઢના શ્રમજીવીઓને પરત મોકલવા તમામને 30 બસો મારફતે નડિયાદ રેલવે સ્ટેશન લાવવાની કામગીરી કરવામાં આવી હતી.

ખેડાની મહેમદાવાદ મામલતદાર કચેરીએ પરપ્રાંતિય શ્રમિકોએ મચાવ્યો હોબાળો

સાંજે 5 કલાકે ટ્રેન નડિયાદથી છત્તીસગઢ જવા રવાના થવાની હતી. જેના અડધા કલાક પહેલાં જ કોઈક કારણસર છત્તીસગઢ સરકારે ટ્રેનની પરવાનગી રદ્દ કરી દેતા નડિયાદથી છત્તીસગઢ જતી ટ્રેન રદ્દ કરવામાં આવી હતી, ત્યારે ઘરે જવાની ટ્રેન પકડતા છેલ્લા સમયે જ ટ્રેન રદ્દ કરવામાં આવતા 1100થી વધુ શ્રમિકો મહેમદાવાદ ફસાયા હતા. જેને લઇ મહેમદાવાદ મામલતદાર કચેરી પહોંચેલા 890 શ્રમિકોએ હોબાળો બોલાવ્યો હતો. તેમજ પોલીસ અને મામલતદારની હાજરીમાં જ સોશિયલ ડિસ્ટન્સના ધજાગરા ઉડાવ્યા હતાં. છત્તીસગઢના સીએમ ભુપેશ બઘેલની હાય બોલાવી રોષ ઠાલવ્યો હતો. આ સાથે ખેડા જિલ્લા પ્રશાસન પાસે વહેલી તકે વતન મોકલવા માંગ કરી હતી.

ખેડાની મહેમદાવાદ મામલતદાર કચેરીએ પરપ્રાંતિય શ્રમિકોએ મચાવ્યો હોબાળો

છત્તીસગઢમાંથી 1200 જેટલા મજૂરો ખેડા જિલ્લાના વસો અને મહેમદાવાદ તાલુકામાં આવેલા ઈટોના ભઠ્ઠામાં કામ કરવા આવ્યા હતા. લોકડાઉનમાં છેલ્લા 43 દિવસથી ફસાઈ ગયા હતા.

ABOUT THE AUTHOR

...view details