ગુજરાત

gujarat

ETV Bharat / state

કોરોનાના કારણે ખેડાના તમામ ગામોમાં સ્વૈચ્છિક લૉકડાઉન

દિવાળી બાદ રાજ્યભરમાં કોરોનાના કેસમાં વધારો જોવા મળી રહ્યો છે. ખેડામાં પણ કોરોનાના વધતા જતા સંક્રમણને ધ્યાનમાં રાખી જિલ્લાના વિવિધ ગામોએ સ્વૈચ્છિક લૉકડાઉનનો અમલ કર્યો છે. નડિયાદના નરસંડા અને પીપલગ ગામે સ્વૈચ્છિક લૉકડાઉન જાહેર કરી દીધું છે. જોકે દૂધ, દવા, અનાજ દળવાની ઘંટી અને શાકભાજી જેવી જીવન જરૂરિયાત વસ્તુઓ સિવાયની તમામ દુકાનો બંધ રાખવામાં આવી છે.

By

Published : Nov 24, 2020, 3:28 PM IST

કોરોનાના કારણે ખેડાના તમામ ગામોમાં સ્વૈચ્છિક લૉકડાઉન
કોરોનાના કારણે ખેડાના તમામ ગામોમાં સ્વૈચ્છિક લૉકડાઉન

  • ખેડામાં દિવાળી બાદ કોરોનાના સંક્રમણમાં વધારો નોંધાયો
  • કોરોનાના કારણે ખેડાના ગામોમાં સ્વૈચ્છિક લૉકડાઉન કરાયું
  • નડિયાદ તાલુકાના નરસંડા અને પીપલગ ગામમાં લૉકડાઉન
  • ગળતેશ્વર તાલુકાના અંઘાડી ગામમાં પણ સ્વૈચ્છિક લૉકડાઉન

ખેડાઃ જિલ્લામાં દિવાળીના તહેવારો બાદ કોરોના સંક્રમણમાં દિન પ્રતિદિન વધારો જોવા મળી રહ્યો છે. કોરોનાના વધતા સંક્રમણને લઈને જિલ્લામાં વિવિધ ગામો દ્વારા સ્વૈચ્છિક લોકડાઉનનો અમલ કરવામાં આવી રહ્યો છે. કોરોનાના વધતા સંક્રમણને રોકવાની પહેલ કરી નડિયાદ તાલુકાના નરસંડા અને પીપલગ ગામ દ્વારા સ્વૈચ્છિક લોકડાઉન જાહેર કરવામાં આવ્યું છે, જેનો ગ્રામજનો દ્વારા ચુસ્ત પાલન કરવામાં આવે છે. દૂધ, દવા, અનાજ દળવાની ઘંટી અને શાકભાજી જેવી જીવન જરૂરી વસ્તુઓ સિવાયની તમામ દુકાનો બંધ રાખવામાં આવી રહી છે.

કોરોનાના કારણે ખેડાના તમામ ગામોમાં સ્વૈચ્છિક લૉકડાઉન
નડિયાદ તાલુકાના ગામો બાદ ગળતેશ્વર તાલુકાનું અંઘાડી ગામમાં પણ લૉકડાઉનનડિયાદ તાલુકાના ગામો બાદ ગળતેશ્વર તાલુકાના અંઘાડી ગામમાં પણ સ્વૈચ્છિક લોકડાઉન જાહેર કરાયું છે. ગામમાં કોરોના પોઝિટિવના ત્રણ કેસ નોંધાતા સંક્રમણ વધતું અટકાવવા ગ્રામજનો, વેપારીઓ અને પંચાયત દ્વારા બેઠક યોજી ગામમાં લૉકડાઉનનો નિર્ણય કરવામાં આવ્યો છે, જે મુજબ ગામમાં બિનજરૂરી અવરજવર બંધ કરવામાં આવી છે.
કોરોનાના કારણે ખેડાના તમામ ગામોમાં સ્વૈચ્છિક લૉકડાઉન
ગ્રામજનો દ્વારા નિયમોનું ચુસ્ત પાલન કરવામાં આવી રહ્યું છેગામમાં 2 વાગ્યા બાદ તમામ દુકાનો, લારીઓ બંધ રાખવામાં આવી રહી છે. ગ્રામજનોને બિનજરૂરી તેમ જ માસ્ક વિના બહાર ન નીકળવા અને નિયમોનું ચુસ્ત પાલન કરવાની સૂચના આપવામાં આવી છે, જેનું ગ્રામજનો દ્વારા પાલન કરવામાં આવી રહ્યું છે. ગામમાં સ્વચ્છતા જાળવવા નિયમિત સાફ સફાઈ પણ કરવામાં આવી રહી છે. મહત્ત્વનું છે કે, જિલ્લામાં વિવિધ વિસ્તારોમાં દિન પ્રતિદિન કોરોનાનું સંક્રમણ વધી રહ્યું છે ત્યારે કોરોનાની વધતી ગતિ રોકવા ગામો દ્વારા સ્વૈચ્છિક લૉકડાઉન જાહેર કરવામાં આવી રહ્યું છે.

ABOUT THE AUTHOR

...view details