ગુજરાત

gujarat

By

Published : Aug 18, 2020, 10:04 PM IST

ETV Bharat / state

ડાકોરના ઠાકોર ભક્તોને આપશે દર્શન, મંદિરના દ્વાર ખુલ્લા મુકાશે

સુપ્રસિદ્ધ યાત્રાધામ ડાકોર ખાતે શ્રી રણછોડરાયજી મંદિરના દ્વાર આવતીકાલ બુધવારથી ભક્તો માટે ખુલ્લા મૂકવામાં આવશે. ભક્તો ઓનલાઈન રજીસ્ટ્રેશન કરાવી ભાવિકો રાજાધિરાજના દર્શન કરી શકશે. ડાકોર ટેમ્પલ કમિટિ દ્વારા લેવાયેલા નિર્ણયને પગલે ભાવિકોમાં આનંદની લાગણી ફેલાઈ છે.

Ranchhodray temple
Ranchhodray temple

ખેડાઃ જિલ્લાના સુપ્રસિદ્ધ યાત્રાધામ ડાકોરના રણછોડરાયજી મંદિરના દ્વાર આવતીકાલે બુધવારની સવારથી ભાવિકો માટે ખુલ્લા મૂકાશે. આ નિર્ણય ટેમ્પલ કમિટિ દ્વારા લેવામાં આવ્યો છે. જેના પગલે ભાવિકો રાજાધિરાજ રણછોડરાયજીના દર્શન કરી શકશે.

રણછોડના દર્શન કરવા માટે ભાવિકોએ ઓનલાઈન રજીસ્ટ્રેશન કરાવવું પડશે. જે બાદ ઈ-ટોકન મેળવી આધારકાર્ડ બતાવ્યા બાદ મંદિરમાં પ્રવેશ આપવામાં આવશે. જ્યારે સુરત જિલ્લાના નાગરિકોને હાલ દર્શન માટે પરમિશન આપવામાં નહીં આવે. હાલ જ્યારે ડાકોર સહિત ખેડા જિલ્લામાં કોરોનાનો રાફડો ફાટ્યો છે, ત્યારે ફરી એક વખત ડાકોર મંદિર ખોલવાનો મોટો નિર્ણય ડાકોર ટેમ્પલ કમિટિ દ્વારા લેવામાં આવ્યો છે.

રણછોડરાયજી મંદિરના દ્વાર ભક્તો માટે ખુલ્લા મૂકાશે

આ નિર્ણયને લઇ ભાવિકોમાં ખુશીનો માહોલ જોવા મળી રહ્યો છે. મંદિરમાં દર્શન માટે આવતા દર્શનાર્થીઓએ સરકારની ગાઈડલાઈનનું ચુસ્ત પાલન કરવાનું રહેશે. જે મુજબ સોશિયલ ડિસ્ટન્સ જાળવવું તેમજ સેનેટાઈઝરનો ઉપયોગ ફરજિયાત રહેશે. ત્યારબાદ થર્મલ સ્ક્રિનિંગ કરી ભક્તોને રણછોડજીના દર્શન માટે પ્રવેશ અપાશે.

મહત્વનું છે કે, કોરોનાના વધતા સંક્રમણને પગલે ગત તારીખ 20 જુલાઇથી રણછોડરાયજી મંદિરના દ્વાર બંધ કરવામાં આવ્યા હતા. જે આવતીકાલે બુધવારની સવારથી ખુલશે. જેને લઈ ભાવિકોમાં આનંદની લાગણી જોવા મળી રહી છે.

ડાકોરના ઠાકોર ભક્તોને આપશે દર્શન

મંદિરમાં દર્શનનો સમય નીચે મુજબ રહેશે...

સવારના સમયે

  • 07:10થી 08:30 સુધી
  • 09:05થી 10:30 સુધી
  • 11:15થી 12:00 સુધી

બપોરના સમયે

  • 04:20 થી 05:00 સુધી
  • 05:30 થી 06:00 સુધી

ABOUT THE AUTHOR

...view details