- ખેડાના મંદિરોના દ્વારા ભાવિકો માટે ખુલ્યા
- યાત્રાધામ ખુલતા ભાવિકોમાં ખુશીની લાગણી છવાઈ
- ભાવિકોની દર્શન માટે કતાર જોવા મળી
ખેડાઃકોરોનાની બીજી લહેર શરૂ થતાની સાથે જ ગુજરાતના દરેક યાત્રાધામ ભક્તો માટે બંધ કરી દેવામાં આવ્યા હતા. 14 એપ્રિલના રોજ સરકારે જાહેર કર્યા પ્રમાણે જ્યાં મોટી સંખ્યામાં ભાવિકોની ભીડ ભેગી થતી હોય એવા યાત્રાધામો બંધ કરવામાં આવ્યા હતા. જેને લઇ રાજ્યના તમામ યાત્રાધામ બંધ કરવામાં આવ્યા હતા.
યાત્રાધામ ખુલતા ભાવિકોમાં ખુશીની લાગણી
હાલ બે દિવસ પહેલાની જાહેરાત પ્રમાણે સરકારી ગાઇડલાઇન મુજબ દરેક યાત્રાધામને મર્યાદિત સંખ્યામાં ખોલવા માટે નિર્ણય કર્યો હતો. જેને લઇ આજે ખેડા જિલ્લાના સુપ્રસિદ્ધ યાત્રાધામો ડાકોર રણછોડરાયજી મંદિર, વડતાલ સ્વામીનારાયણ મંદિર અને નડીયાદ સંતરામ મંદિરના દ્વાર ભાવિકો માટે ખોલવામાં આવ્યા હતા. બે દિવસ પહેલાં જ મંદિર ખોલવાની જાહેરાત થતાની સાથે જ ભક્તોમાં અને સ્થાનિકોમાં ખુશીની લાગણી વ્યાપી હતી.
આ પણ વાંચોઃખેડામાં ડાકોર અને વડતાલ સહિતના યાત્રાધામોના દ્વાર શુક્રવારથી ભાવિકો માટે ખુલશે