સ્વામિનારાયણ સંપ્રદાયનામાં ઠાકોરજીને વિપુલ માત્રામાં કેરીઓનો ભોગ ધરાયો.
ખેડાઃ વડતાલધામના સુપ્રસિદ્ધ સ્વામિનારાયણ સંપ્રદાયનામાં ઠાકોરજીનો રાજીપો મેળવવા દર વર્ષે ગ્રિષ્મ ઋતુમાં આમ્રોત્સવની ઉજવણી કરાવામાં આવી હતી .જેમા વિપુલ માત્રામાં દેવોને કેરીઓનો ભોગ ધરાવામાં આવ્યો હતો.
વડતાલધામના સુપ્રસિદ્ધ સ્વામિનારાયણ સંપ્રદાયનામાં ઠાકોરજીનો રાજીપો મેળવવા દર વર્ષે ગ્રિષ્મ ઋતુમાં આમ્રોત્સવની ઉજવણી કરાવામાં આવી હતી. જેમા વિપુલ માત્રામાં દેવોને કેરીઓનો ભોગ ધરાવામાં આવે છે. જેમા આ વર્ષે સવા બસો મણ કેરીઓ દેવોને ધરાવવામાં આવી હતી. જે બાદ આ કેરીની પ્રસાદીને વડતાલધામ તેમજ આસપાસના ગામોના ગરીબ બાળકો તથા વૃદ્ધાશ્રમ અને ઘરડાઘરમાં વહેંચવામાં આવી હતી.ઉલ્લેખનીય છે કે, વડતાલ સંસ્થા દ્વારા આમ્રોત્સવ ઉપરાંત ઉનાળાના સમયમાં ઉઘાડા પગે ફરતા ગરીબ શ્રમજીવિઓને ચંપલ વિતરણ સહિતની વિવિધ સેવાકીય પ્રવૃત્તિઓ કરવામાં આવે છે.