ગુજરાત

gujarat

By

Published : Jan 9, 2023, 4:18 PM IST

ETV Bharat / state

પરંપરાઃ સંતરામ મંદિરમાં પોષી પુનમની બોર ઉછાળીને કરાઈ ઉજવણી

ખેડાના નડીયાદમાં પોષી પુનમની ભક્તિપુર્ણ ઉજવણી કરવામાં આવી હતી. સુપ્રસિદ્ધ સંતરામ મંદિર (Nadiad Santram Mandir) ખાતે પોષી પુનમને લઈને ભાવિકોનો મહેરામણ ઉમટ્યો હતો. આ ઉપરાંત ભાવિકોએ બોર ઉછાળી માનતા પુર્ણ કરી હતી. (poshi poonam in Nadiad)

અબોલ બાળકો થાય બોલતા, સંતરામ મંદિરમાં પોષી પુનમની બોર ઉછાળીને કરાઈ ઉજવણી
અબોલ બાળકો થાય બોલતા, સંતરામ મંદિરમાં પોષી પુનમની બોર ઉછાળીને કરાઈ ઉજવણી

સંતરામ મંદિરમાં પોષી પુનમની બોર ઉછાળીને કરાઈ ઉજવણી

ખેડા : નડીયાદના સુપ્રસિદ્ધ સંતરામ મંદિર ખાતે પોષી પુનમની ભાવપૂર્ણ ઉજવણી (Nadiad Santram Mandir) કરવામાં આવી હતી. ઉલ્લેખનીય છે કે, રાજ્યમાં પોષી પુનમનું લોકોમાં ભારે મહત્વ હોય છે ત્યારે આ નિમિતે લોકો સવારથી મંદિર ખાતે ભાવિકોનો મહેરામણ ઉમટ્યો હતો. મંદિર ખાતે ભાવિકોએ હજારો મણ બોર ઉછાળી માનતા પુર્ણ કરી હતી. અહીં બોર ઉછાળવાથી અબોલ બાળકો બોલતા થતા હોવાની માન્યતા છે. (Poshi poonam celebration at Santram temple)

આ પણ વાંચોઅંબાજી મંદિરના દર્શન સમયમાં ફેરફાર, ચંદ્રગ્રહણને કારણે મંદિર બંધ

મંદિરમાં બોર ઉછાળવાનો મહિમા સંતરામ મંદિરમાં પોષી પૂનમના દિવસે બોર ઉછાળવાનો (poshi poonam in Nadiad) વિશેષ મહિમા રહેલો છે. પોષી પુનમે મોટી સંખ્યામાં ભાવિકો મંદિરે દર્શન કરવા ઉમટી પડે છે. સાથે જ મંદિરમાં બોર ઉછાળી બાળક બોલતું થવાની માનતા પુર્ણ કરે છે. જેને લઈ પોષી પૂનમે મંદિરમાં હજારો કિલો બોર ઉછાળવામાં આવતા હોવાથી પોષ મહિનાની આ પૂનમ બોર પુનમ તરીકે પણ ઓળખાય છે. જે પણ ભાવિક ભક્તોને ત્યાં પારણું બંધાયું હોય અને બાળક બોલતું ન હોય તો નડીયાદ સંતરામ મંદિરમાં પોષી પુનમને દિવસે બોર ઉછાળવાની માનતા રાખતા બાળક બોલતું થઈ જતુ હોવાની માન્યતા છે. બાળક બોલતું થઈ જતા પોતાના બાળકને લઈ સંતરામ મંદિરમા બોર ઉછાળી માનતા પૂર્ણ કરે છે. (poshi poonam 2023)

આ પણ વાંચોઅંબાજીના મેળામા બન્યો 3 લાખ 60 હજાર કીલો પ્રસાદ !

મહા મહિનાની પૂનમે સમાધિ સંતરામ મંદિરના મહંત નિર્ગુણદાસજીના જણાવ્યા મુજબ, માન્યતા પ્રમાણે યોગીરાજ અવધૂત સંતરામ મહારાજ પોષ મહિનાની પુનમે સમાધિ લેવાના હતા. તેમના પરમ ભક્તના કહેવાથી કે હું સરકારી નોકરી કરું (poshi poonam in Nadiad) છું તો આપ સ્વયં સમાધિ લેવાના છો તે આપના દિવ્ય દર્શનનો લાભ મને નહિ મળે. માટે તેમણે પોષ મહિનાને બદલે મહા મહિનાની પૂનમે સમાધિ લીધી તે સમયે સાકાર વર્ષા કરવામાં આવી હતી. તેથી વર્ષની આ બાર પુનમોમાં પોષી પુનમનું મોટુ મહત્વ છે. તેમજ તેમનો સમાધિ દિવસ એટલે મહા પૂનમ આ પુનમે સાકાર વર્ષા કરી હોવાથી આ બંને પુનમનું વિશેષ મહત્વ છે. (poshi poonam in Nadiad Santram Mandir)

ABOUT THE AUTHOR

...view details