નડિયાદઃ નડિયાદની એન.ડી. દેસાઈ હોસ્પિટલમાં કોરોના વાયરસની સારવાર દરમિયાન આણંદ જિલ્લાના ઉમરેઠના વ્યક્તિનું મોત થયું છે.
આણંદ જિલ્લાના ઉમરેઠ વહોરવાડ ખાતે રહેતા અને ઉમરેઠ શહેરમાં ફ્રૂટ વેચતા મૃતક દર્દીને કોરોનાના લક્ષણ જણાતા કોરોના રિપોર્ટ કરાવવામાં આવતા રિપોર્ટ પોઝિટિવ આવ્યો હતો. ગત 16 તારીખના રોજ કોરોના પોઝિટિવ આવતા 45 વર્ષીય દર્દીને સારવાર માટે ખેડા જિલ્લાના નડિયાદની એન.ડી. દેસાઈ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યાં હતાં.