ખેડા: ICCR ભારત સરકારના ડિરેક્ટર તથા એમ. એસ. યુનિવર્સિટી વડોદરાના સેનેટ સિન્ડીકેટ સભ્ય જીગરભાઈ ઈનામદાર, ઝોન સંયોજક મનોજભાઈ તથા જિલ્લા સંયોજક પ્રણવ સાગરના માર્ગદર્શન હેઠળ સ્વામી વિવેકાનંદ યુવા કેન્દ્રોની કામગીરીની સમીક્ષા તથા આગામી કાર્યક્રમોની ચર્ચા-વિચારણા માટે ખેડા જિલ્લાની મિટીંગ યોજાઇ હતી. સ્વામી વિવેકાનંદ યુવા કેન્દ્રો દ્વારા સરકારની વિવિધ યોજનાઓને ગામે ગામ સુધી લઈ જઈ લોકોને સરકારી યોજનાઓનો લાભ અપાવવા માટે અને યોજનાઓ વિશે માહિતગાર કરવા માટેનું એક અભિયાન શરૂ કરવામાં આવ્યું છે.
રવિવારે લોકડાઉનના સમયગાળા બાદ પ્રથમ વખત બેઠક રાખવામાં આવી હતી. જેમાં જીગરભાઈ ઇનામદાર અને પ્રણવ સાગરના હસ્તે ડાકોર રણછોડરાયજી મંદિરમાં ધજા ચડાવવામાં આવી અને રણછોડરાયજીના દર્શન બાદ પૂજ્ય વિજય દાસજી મહારાજના હસ્તે દીપ પ્રાગટ્ય કર્યા બાદ મિટીંગની શરૂઆત કરવામાં આવી હતી.