ડાકોર: ડાકોર રણછોડરાયજી મંદિરમાં ભક્તિપૂર્ણ માહોલમાં જન્માષ્ટમી પર્વની ઉજવણી કરવામાં આવી હતી. કોરોના મહામારીને પગલે કોવિડ 19 ગાઈડલાઈનના ચુસ્ત પાલનને લઈને મંદિરમાં દર્શનાર્થીઓનો પ્રવેશ બંધ રાખવામાં આવ્યો હતો. મંદિરમાં બંધબારણે પૂજારીઓ દ્વારા ઉજવણી કરવામાં આવી હતી. રણછોડરાયજી મંદિરમાં જન્માષ્ટમીના રોજ રાત્રિના 12 કલાકે શ્રીજી પ્રભુના જન્મ ઉત્સવનો પ્રારંભ થયો હતો. રણછોડરાયજી પ્રભુને લલાટે કુમકુમ તિલક કરી સલામી સાથે પ્રારંભ થયેલ જન્મોત્સવમાં પ્રથમ પંચામૃત સ્નાન, શુદ્ધોદક સ્નાન બાદ ચુનરીયા વસ્ત્રો ધારણ કરાવવામાં આવ્યાં હતાં.
સોનાના પારણે નંદનંદનને ઝૂલાવી બંધબારણે ડાકોરના ઠાકોરનો જન્મોત્સવ ઉજવાયો, નોમનો નંદ મહોત્સવ રદ - ડાકોર
યાત્રાધામ ડાકોર રણછોડરાયજી મંદિર ખાતે ભક્તિપૂર્ણ માહોલમાં જન્માષ્ટમી પર્વની ઉજવણી કરવામાં આવી હતી. કોરોના મહામારીને પગલે કોવિડ 19 ગાઈડલાઈનના ચુસ્ત પાલનને લઈને મંદિરમાં દર્શનાર્થીઓનો પ્રવેશ બંધ રાખવામાં આવ્યો હતો. સમગ્ર ઉત્સવની મંદિરમાં બંધબારણે ઉજવણી કરવામાં આવી હતી. તેમ જ વર્ષોની પરંપરા મુજબ આજે નોમના દિવસે યોજવામાં આવતો નંદ મહોત્સવ આ વર્ષે રદ કરવામાં આવ્યો છે
![સોનાના પારણે નંદનંદનને ઝૂલાવી બંધબારણે ડાકોરના ઠાકોરનો જન્મોત્સવ ઉજવાયો, નોમનો નંદ મહોત્સવ રદ સોનાના પારણે નંદનંદનને ઝૂલાવી બંધબારણે ડાકોરના ઠાકોરનો જન્મોત્સવ ઉજવાયો, નોમનો નંદ મહોત્સવ રદ](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-8402503-thumbnail-3x2-parna-7203754.jpg)
સોનાના પારણે નંદનંદનને ઝૂલાવી બંધબારણે ડાકોરના ઠાકોરનો જન્મોત્સવ ઉજવાયો, નોમનો નંદ મહોત્સવ રદ
બાદમાં અમૂલ્ય હીરા અને રત્નોજડિત ઝરઝવેરાતનો અદભુત આકર્ષણ ધરાવતો મોટો મુગટ ધરાવવામાં આવ્યો હતો. જન્માષ્ટમીની આ સેવા દર્શન બાદ બાલ ગોપાલલાલજી મહારાજને મંદિરમાં સોનાના પારણે ઝૂલાવવામાં આવ્યાં હતાં. જે સમયે પ્રભુને જન્મોત્સવના કીર્તનથી લાડ લડાવવામાં આવ્યાં હતાં. કોરોના મહામારીને પગલે સમગ્ર જન્મોત્સવ બંધબારણે મંદિરમાં ઉજવાયો હતો. તેમ જ વર્ષોની પરંપરા મુજબ બીજા દિવસે આજે નંદ મહોત્સવ ઉજવવામાં આવે છે જે આ વર્ષે રદ કરવામાં આવ્યો છે.
સોનાના પારણે નંદનંદનને ઝૂલાવી બંધબારણે ડાકોરના ઠાકોરનો જન્મોત્સવ ઉજવાયો, નોમનો નંદ મહોત્સવ રદ