ખેડાઃ જિલ્લાના યાત્રાધામ ડાકોરમાં આજે વહેલી સવારે અસ્થિર મગજના એક માણસે ગોમતી તળાવમાં મોતની છલાંગ લગાવી હતી. ઘટના સ્થળે હાજર સાધુએ ડૂબતા માણસને બચાવી લેવામાં આવ્યો હતો. જેને સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યો છે.
યાત્રાધામ ડાકોરમાં પવિત્ર ગોમતી તળાવમાં અસ્થિર મગજના એક માણસે અચાનક મોતની છલાંગ લગાવી હતી. ગોમતી તળાવમાં કૂદી પડી ડૂબી રહેલા માણસને જોઈ તળાવ પર હાજર સાધુએ ડૂબતા માણસને બચાવી બહાર કાઢ્યો હતો.