ગુજરાત

gujarat

ETV Bharat / state

રાજ્યના રાજ્યપાલ આચાર્ય દેવવ્રત નડિયાદની મુલાકાતે - રાજ્યપાલ આચાર્ય દેવવ્રત નડિયાદની મુલાકાતે

ખેડાઃ નડિયાદ ખાતે આયુર્વેદિક કોલેજનાં શૈક્ષણિક ભવનના લોકાર્પણ પ્રસંગે ઉપસ્થિત રહેલા રાજ્યપાલ આચાર્ય દેવવ્રતે નડિયાદ શહેરનાં દાંડીમાર્ગ પર પદયાત્રા કરી હતી. મહિલા તેમજ વરિષ્ઠ નાગરિકો સહિતના લોકોને મળી હાલચાલ પૂછ્યા હતા. તેમજ બાળકોને વ્હાલ કરી બાળક સાથે સેલ્ફી પણ ખેંચાવી હતી.

governor visit nadiad
governor visit nadiad

By

Published : Nov 27, 2019, 2:49 PM IST

નડિયાદ ખાતે મહા ગુજરાત મેડિકલ સોસાયટી સંચાલિત આયુર્વેદિક સંસ્થાનમાં કુંદનબેન દિનશા પટેલ શૈક્ષણિક ભવનનું રાજ્યપાલ આચાર્ય દેવવ્રતના હસ્તે લોકાર્પણ કરાયું હતું.

દાંડીમાર્ગ સંતરામ રોડ પર પદયાત્રા કરી નાગરિકોને મળ્યા

લોકાર્પણ બાદ તેઓએ નડિયાદ શહેરમાં પદયાત્રા કરી હતી. જે દરમિયાન નડિયાદ શહેરના દાંડીમાર્ગ સંતરામ રોડ પર નાગરિકોના હાલચાલ પૂછ્યા હતા. મહિલા તેમજ વરિષ્ઠ નાગરિકોના હાલચાલ જાણી બાળકોને વ્હાલ પણ કર્યું હતું. બાળકે તેમની સાથે સેલ્ફી પણ ખેંચાવી હતી.

દાંડીમાર્ગ સંતરામ રોડ પર પદયાત્રા કરી નાગરિકોને મળ્યા

રાજ્યપાલનું સહાનુભૂતિ ભર્યું પ્રેમાળ વર્તન જોઈને સૌ નાગરિકોએ અહોભાવ વ્યક્ત કરતા હતા.

રાજ્યપાલ આચાર્ય દેવવ્રતજ નડિયાદની મુલાકાતે

રાજ્યપાલ લોકો સાથે વાતચીત કરતા જાણે રાજા નગરચર્ચા કરવા નિકળ્યા હોય તેવા દ્રશ્ય સર્જાયા હતા.

રાજ્યપાલ આચાર્ય દેવવ્રતજ નડિયાદની મુલાકાતે

ABOUT THE AUTHOR

...view details