ગુજરાત

gujarat

By

Published : Dec 17, 2020, 7:54 PM IST

ETV Bharat / state

ખેડામાં 68 ગામોને પીવાનું પાણી પૂરું પાડનાર જૂથ પાણી પુરવઠા યોજનાનું ખાતમુહૂર્ત

ખેડા જિલ્લાના મહુધા તથા ઠાસરા પંથકના ગામોને પીવાનું શુદ્ધ પાણી પૂરું પાડવા માટે રૂપિયા 62 કરોડના ખર્ચે સરકાર દ્વારા ખીજલપુર જૂથ પાણી પુરવઠા યોજના મંજૂર કરવામાં આવી છે.જે અંતર્ગત મહુધાના અલીણા ખાતે 12 લાખ લિટર પાણીની ક્ષમતાના ભૂગર્ભ સંપનું ખેડા જિલ્લા ભાજપ પ્રમુખ અર્જુનસિંહ ચૌહાણ દ્વારા ખાતમુહૂર્ત કરવામાં આવ્યું હતું.

ખેડામાં 68 ગામોને પીવાનું પાણી પૂરું પાડનાર જૂથ પાણી પુરવઠા યોજનાનું ખાતમુહૂર્ત
ખેડામાં 68 ગામોને પીવાનું પાણી પૂરું પાડનાર જૂથ પાણી પુરવઠા યોજનાનું ખાતમુહૂર્ત

  • ખેડા જિલ્લામાં રૂ.62 કરોડના ખર્ચે ખીજલપુર જૂથ પાણી પુરવઠા યોજના શરૂ કરાશે
  • પંથકના મોટાભાગના ગામોમાં ક્ષારયુક્ત પાણીને કારણે લોકોને સ્વાસ્થ્ય સમસ્યા
  • જિલ્લા ભાજપ પ્રમુખ અર્જુનસિંહ ચૌહાણના હસ્તે ખાતમુહૂર્ત

ખેડા: મહુધા પંથકના મોટાભાગના ગામોમાં પીવાલાયક પાણી નથી. જેને પગલે લોકોને ક્ષારયુક્ત પાણી પીવાની ફરજ પડી રહી છે. આથી લોકોને વિવિધ ચર્મ રોગો તેમજ સાંધાનો દુખાવો અને પથરી જેવી તકલીફોનો ભોગ બનવું પડે છે. આ સમસ્યાના નિવારણ માટે રાજ્ય સરકાર દ્વારા તાજેતરમાં રૂ.62 કરોડના ખર્ચે ખીજલપુર જૂથ પાણી પુરવઠા યોજના મંજૂર કરવામાં આવી છે.

ખેડામાં 68 ગામોને પીવાનું પાણી પૂરું પાડનાર જૂથ પાણી પુરવઠા યોજનાનું ખાતમુહૂર્ત

મહુધા અને ઠાસરાના 68 ગામોને ફિલ્ટરયુક્ત પાણી પૂરું પડાશે

ખેડા જિલ્લાના 68 ગામોને પીવાનું શુદ્ધ પાણી મળી રહે તે માટે આ યોજના અમલમાં મુકવામાં આવી છે. જે અંતર્ગત મહુધા તાલુકાના 42 ગામો અને ઠાસરા તાલુકાના 26 ગામો સહિત પરા વિસ્તારોને શુદ્ધ પીવાનું પાણી મળી રહેશે. આ યોજના અંતર્ગત ઠાસરાના દેવનગર તેમજ મહુધાના અલીણા ખાતે ફિલ્ટર પ્લાન્ટ તેમજ સબ સ્ટેશન બનાવવામાં આવનાર છે. અલીણા ખાતેના 12 લાખ લીટરના પાણીના સંપનું મહેમદાવાદના ધારાસભ્ય અને ખેડા જિલ્લા ભાજપ પ્રમુખ અર્જુનસિંહ ચૌહાણના હસ્તે ખાતમુહૂર્ત કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે તાલુકા વિકાસ અધિકારી તેમજ તાલુકા ભાજપના હોદ્દેદારો અને અગ્રણીઓ તેમજ ગ્રામજનો ઉપસ્થિત રહ્યા હતા.

ABOUT THE AUTHOR

...view details