ગુજરાત

gujarat

ETV Bharat / state

Crocodiles: ખેડામાં મગરનો મૃતદેહ મળી આવ્યો, હત્યાની આશંકા - Dead body Kheda

ખેડા જિલ્લાના માતરના વસઈ ગામની સીમમાંથી સિંચાઇ વિભાગના કાંસના પાળા પર એક મગર મૃત હાલતમાં મળી આવ્યો હતો.જેને લઈ ગામમાં ચકચાર મચી જવા પામી હતી.મગરના મૃતદેહ પર લોખંડનો તાર પણ વિંટળાયેલો મળી આવતા મગરની હત્યા કરવામાં આવી હોવાની પણ આશંકા વ્યક્ત કરાઈ રહી છે. ઘટનાની જાણ થતાં વન વિભાગની ટીમ ઘટના સ્થળે પહોંચી હતી. મગરના મૃતદેહનું પોસ્ટમોર્ટમ કરાવવા સહિતની કાર્યવાહી હાથ ધરી હતી.

ખેડામાં મગરનો મૃતદેહ મળી આવ્યો, હત્યાની આશંકા
ખેડામાં મગરનો મૃતદેહ મળી આવ્યો, હત્યાની આશંકા

By

Published : Jul 7, 2023, 8:24 AM IST

ખેડા: મગરની હત્યાની આશંકા વસઈ ગામના ખેડૂતો પોતાના ખેતરમાં કામ કરવા માટે જઈ રહ્યા હતા.ત્યારે કાંસના પાળા પર અસહ્ય દુર્ગંધ ફેલાતા ખેડૂતો દ્વારા ત્યાં તપાસ કરવામાં આવી હતી. જેમાં સિંચાઈ વિભાગના કાંસના પાળા પર મૃત હાલતમાં મગર જોવા મળ્યો હતો.અંદાજીત પાંચ થી સાત ફુટ જેટલા મગરનો મૃતદેહ મળી આવતાં ભારે ચકચાર ફેલાઇ હતી.મગરના મૃતદેહ પર લોખંડનો તાર વિંટળાયેલો હતો.જેને લઈ કોઈ વ્યક્તિ દ્વારા મગરને મારી નાંખવામાં આવ્યો હોવાની પણ આશંકા વ્યક્ત કરવામાં આવી રહી છે.*હત્યાની આશંકાને લઈ જીવદયાપ્રેમીઓમાં રોષ.

મોતનું કારણ જાણવા મળશે: વન વિભાગ આ બાબતે માતર વન વિભાગના સૂત્રો પાસેથી મળેલી વિગતો મુજબ," વન વિભાગે ઘટના સ્થળે પહોંચી વિગતવાર તપાસ હાથ ધરવામાં આવી છે.મગરના મૃતદેહનું પોસ્ટમોર્ટમ કરાવવામાં આવ્યું છે.જે પોસ્ટમોર્ટમ રિપોર્ટ આવ્યા બાદ જ આકસ્મિક મોત છે કે હત્યા કરવામાં આવી છે તે જાણી શકાશે".

વન વિભાગની ટીમ: આ સમગ્ર ઘટનાની જાણ થતા મગરની હત્યાની આશંકાને લઈ જીવદયા પ્રેમીઓમાં ભારે આક્રોશ જોવા મળ્યો હતો.રોષ વ્યક્ત કરતાં જણાવાયુ હતું કે આવુ કૃત્ય કરનાર અપરાધીઓ સામે કડક કાર્યવાહી કરવામાં આવે.ઘટનાની જાણ થતા માતર વન વિભાગની ટીમ ઘટના સ્થળે પહોંચી હતી. વન વિભાગે સમગ્ર ઘટનાની વિસ્તૃત તપાસ હાથ ધરી હતી.મગરના મૃતદેહનુ પોસ્ટમોર્ટમ કરાવવામાં આવ્યું હતુ. મગરના મોતનું કારણ પીએમ રિપોર્ટ આવ્યા બાદ જાણી શકાશે.

સોનાની મગર:સુરતમાં હવે હિરાની નહી પરંતુ તેની સાથે સોનાની ડિઝાઇનની ખાણ જોવા મળી રહી છે. કેમકે સુરતના સોનીઓ અવનવી ડિઝાઇન દ્રારા લોકોની સાથે બોલીવુડની હિરોઇનને આકર્ષણ. સુરત જ્વેલરી કંપનીએ ક્રોકોડાઇલ નેકલેસ બનાવ્યો છે. જેને બોલીવુડમાંથી પણ ઇન્કવાયરી આવી રહી છે.

  1. Kheda News : વડતાલ ધામના સ્વામીએ જય શ્રી રામના નારા લગાવતા ઢળી પડ્યા
  2. Kheda Rain: ખેડામાં સાર્વત્રિક વરસાદ, સેવાલિયામાં બેંકમાં પાણી ભરાતા વ્યવહાર થયો ઠપ્પ
  3. Kheda News: વિશ્વાસ પ્રોજેક્ટ અંતર્ગત જુદી જુદી જગ્યાઓ પર 324 સીસીટીવી સેટ, સર્વત્ર રહેશે બાજ નજર

ABOUT THE AUTHOR

...view details