ગુજરાત

gujarat

By

Published : Dec 5, 2019, 9:12 PM IST

ETV Bharat / state

વડતાલ ખાતે પ્રાકૃતિક કૃષિ પ્રશિક્ષક તાલીમ કાર્યશાળાનો CMની હાજરીમાં પ્રારંભ કરાયો

ખેડા: રાજ્યમાં પ્રાકૃતિક કૃષિનો વ્યાપ વધારવા માટે રાજ્ય સરકારના સઘન પ્રયાસોના ભાગરૂપે વડતાલ ખાતે ગુરૂવારે કૃષિ, ખેડૂત કલ્યાણ અને સહકાર વિભાગ અંતર્ગત એગ્રીકલ્ચર ટેકનોલોજી મેનેજમેન્ટ એજન્સી-આત્મા દ્વારા આયોજિત સુભાષ પાલેકરજી પ્રાકૃતિક કૃષિ વિષયક પ્રશિક્ષક તાલીમ કાર્યશાળાનો રાજ્યપાલ આચાર્ય દેવવ્રતજીએ મુખ્યપ્રધાન વિજયભાઈ રૂપાણીની ઉપસ્થિતિમાં પ્રારંભ કરાવ્યો હતો. આ સાત દિવસીય કાર્યશાળામાં સુભાષ પાલેકર દ્વારા પ્રાકૃતિક કૃષિ પદ્ધતિ અંગે ખેડૂતોને વિવિધ માહિતી અને માર્ગદર્શન પુરૂં પાડવામાં આવશે.

A natural agriculture instructor training workshop was started at Vadtal
વડતાલ ખાતે પ્રાકૃતિક કૃષિ પ્રશિક્ષક તાલીમ કાર્યશાળાનો પ્રારંભ કરાયો

ગુજરાતના રાજ્યપાલ આચાર્ય દેવવ્રતે રાજ્યના મુખ્યપ્રધાન વિજય રૂપાણી અને પ્રાકૃતિક કૃષિના પ્રણેતા પદ્મશ્રી સુભાષ પાલેકર અને અન્ય મહાનુભાવોની ઉપસ્થિતિમાં સુભાષ પાલેકર પ્રાકૃતિક કૃષિ સાપ્તાહિક તાલીમ શિબિરના ઉદ્ઘાટન સમારોહમાં જણાવ્યું હતું કે, સુભાષ પાલેકર પ્રાકૃતિક કૃષિ તાલીમ કાર્યક્રમમાં ખેડૂતોની ઉપસ્થિતિ અને ખેડૂતોની ઉત્સુકતાના દર્શનથી જ કહી શકીએ કે, ગુજરાતમાં પ્રાકૃતિક કૃષિ ક્ષેત્રે નવો જ અધ્યાય શરૂ થઇ રહ્યો છે.

પ્રાકૃતિક કૃષિ પ્રશિક્ષક તાલીમ કાર્યશાળાનું ઉદ્ધાટન

રાજ્યપાલે પોતાના ખેડૂત તરીકેના સ્વાનુભવ અંગે જણાવ્યું હતું કે, રાસાયણિક ખેતીને કારણે જળ, જમીન, વાતાવરણથી ખાદ્યાન્ન દુષિત થઈ ગયા છે. અસાધ્ય રોગોનું પ્રમાણ વધી રહ્યું છે. ધરતી પર માનવ અસ્તિત્વની સાથે કૃષિની શરૂઆત થઈ ત્યારથી કોઈ રાસાયણીક ખેતી કરતું નહોતું. રસાયણ વિના કૃષિ થાય નહીં એવો ભ્રમ હવે ભાંગવો પડશે.

વડતાલ ખાતે પ્રાકૃતિક કૃષિ પ્રશિક્ષક તાલીમ કાર્યશાળાનો પ્રારંભ કરાયો

મુખ્યપ્રધાન વિજય રૂપાણીએ જણાવ્યું હતું કે, ભારતીય સંસ્કૃતિને અનુરૂપ એવી સુભાષ પાલેકર પ્રાકૃતિક કૃષિ અંગેનું અદ્યતન જ્ઞાન ખેડૂતોને આ કાર્યશાળાના માધ્યમથી સાત દિવસ સુધી મળવાનું છે. જે આગામી સમયમાં ગુજરાતમાં કૃષિ ક્ષેત્રે ક્રાંતિ સર્જી ખેડૂતોની આવક ડબલ કરનારૂં સાબિત થશે. મુખ્યપ્રધાને ભારતીય સંસ્કૃતિમાં ગાય, ગંગા, ગીતા અને ગાયત્રીના મહત્વની સમજ આપી જીવથી શિવ સુધીની યાત્રાને પ્રકૃતિના આધાર સાથે સર્વ જીવો માટેનું કલ્યાણ થાય તે દિશામાં આગળ વધવા જણાવ્યું હતું.

પ્રાકૃતિક કૃષિના પ્રણેતા પદ્મશ્રી સુભાષ પાલેકરે પ્રાકૃતિક કૃષિ અંગેની જાણકારી આપવા સાથે ગુજરાતની આર્થિક રાજધાની અમદાવાદનું નામ બદલવા વિનંતી કરી હતી. આ પ્રસંગે કૃષિ રાજ્યપ્રધાન જયદ્રથસિંહ પરમાર, પશુપાલન રાજ્ય પ્રધાન બચુભાઈ ખાબડ, મુખ્ય દંડક પંકજભાઈ દેસાઈ સહિત કૃષિ યુનિવર્સિટીઓના કુલપતિઓ, કૃષિ વિભાગના અધિકારીઓ સહિત તાલીમાર્થી ખેડૂતો ઉપસ્થિત રહ્યા હતા.

ABOUT THE AUTHOR

...view details