ગુજરાત

gujarat

ETV Bharat / state

Vijay Rupani statement: નરેશ પટેલને લઈને પૂર્વ મુખ્યપ્રધાન વિજય રૂપાણીનું નિવેદન, જાણો શું કહ્યું - Rajkot BJP

નરેશ પટેલને દરેક (Naresh Patel)રાજકીય પક્ષ પોતાના પક્ષમાં સામેલ કરવાને લઈને ખૂબ ઉત્સાહી અને ઉતાવળા બની રહ્યા છે. આવી પરિસ્થિતિમાં પૂર્વ મુખ્યપ્રધાન વિજય રૂપાણી( Former Chief Minister Vijay Rupani)નિવેદન આપ્યું છે કે નરેશ પટેલ આગામી દિવસોમાં ભાજપને પોતાનું સમર્થન આપશે તેવો તેમને ભરોસો છે.

Vijay Rupani statement: નરેશ પટેલને લઈને પૂર્વ મુખ્યપ્રધાન વિજય રૂપાણીનું નિવેદન, જાણો શું કહ્યું
Vijay Rupani statement: નરેશ પટેલને લઈને પૂર્વ મુખ્યપ્રધાન વિજય રૂપાણીનું નિવેદન, જાણો શું કહ્યું

By

Published : Mar 18, 2022, 6:12 PM IST

રાજકોટઃખોડલધામ સમિતિના પ્રમુખ અને પાટીદાર સમાજના કદાવર નેતા નરેશ પટેલ જાહેર જીવનમાં સક્રિય રાજકારણમાં પદાર્પણને લઈને હવે તમામ રાજકીય પક્ષોમાં ખેચતાણ જોવા મળી રહી છે. કોંગ્રેસ, ભાજપ અને આમ આદમી પાર્ટી સહિત તમામ રાજકીય પક્ષોએ(Rajkot BJP) નરેશ પટેલને પોતાના પક્ષમાં સામેલ કરવાને લઈને એડીચોટીનું જોર લગાવવાનુ ચાલી રહ્યુ છે. કોંગ્રેસે નરેશ પટેલનેપક્ષમાં સામેલ થવાને લઈને ખુલ્લું નિમંત્રણ પાઠવ્યું છે. નરેશ પટેલ પોતે સામાજિક નેતાની સાથે કોંગ્રેસની વિચારધારા સાથે વરેલા છે તેવું કોંગ્રેસના નેતાઓ વારંવાર કહી ચુક્યા છે.

વિજય રૂપાણીનું નિવેદન

નરેશ પટેલ ભાજપને મદદ કરશે -આમ આદમી પાર્ટીના નેતાઓ પણ નરેશ પટેલ તેમના(naresh patel rajkot) પક્ષમાં જોડાશે તેવો આશાવાદ રાખી રહ્યા છે. ગઈકાલે ભાજપના સહકારી અગ્રણી અને મોટા ગજાના પાટીદાર નેતા દિલીપ સંઘાણીએ નરેશ પટેલના સક્રિય રાજકારણમાં જોડાઈને લઈને જે કટાક્ષ કર્યો હતો ત્યારે રાજકારણ ગરમાયુ હતુ. આજે રાજ્યના પૂર્વ મુખ્યપ્રધાન વિજય રૂપાણીએ (Vijay Rupani statement)નરેશ પટેલને લઈને પોતાનું નિવેદન આપ્યું છે અને તેમણે જણાવ્યું હતું કે નરેશ પટેલ આગામી દિવસોમાં ચોક્કસપણે ભાજપને મદદ કરશે જેનો તેમને ભરોસો છે.

આ પણ વાંચોઃભાવનગર ગોહિલવાડમાં બાળકો મન મૂકીને ઝુમ્યા : શેરીઓમાં મધુર કિલકિલાટ ગુંજ્યો

રૂપાણીએ આપ્યું નરેશ પટેલ પર નિવેદન -પૂર્વ મુખ્યપ્રધાન વિજય રૂપાણી ધુળેટીની ઉજવણી કરવાને લઈને રાજકોટ શહેર ભાજપ કાર્યાલય ખાતે ઉપસ્થિત રહ્યા હતા. અહીં તેમણે ધુળેટીના રંગો ઉડાવીને કાર્યકરોને ધુળેટીની શુભકામનાઓ પાઠવી હતી ત્યારબાદ પૂર્વ મુખ્યપ્રધાન વિજય રૂપાણી માધ્યમો સમક્ષ રાજકીય રંગ ઉડાવીને નરેશ પટેને લઈને નિવેદન આપ્યું હતું. રૂપાણીએ કહ્યું હતું કે તેઓ નરેશભાઈને ખૂબ સારી રીતે જાણે છે અને તેઓ તેમના પરિચયમાં પણ છે.

રાજકીય પક્ષ નરેશ પટેલને સામેલ કરવા ઉત્સાહી -નરેશ પટેલને દરેક રાજકીય પક્ષ પોતાના પક્ષમાં સામેલ કરવાને લઈને ખૂબ ઉત્સાહી અને ઉતાવળા બની રહ્યા છે આવી પરિસ્થિતિમાં પૂર્વ મુખ્યપ્રધાન વિજય રૂપાણી પણ જાણે કે પાછળ રહેવા માંગતા ન હોય તે પ્રકારે નિવેદન આપ્યું હતું. જણાવ્યું હતું કે નરેશ પટેલ આગામી દિવસોમાં ભાજપને પોતાનું સમર્થન આપશે તેવો તેમને ભરોસો છે. અત્રે ઉલ્લેખનીય છે કે વિજય રૂપાણીએ નરેશ પટેલના ભાજપના સમર્થનને લઈને નિવેદન આપ્યું છે હજુ સુધી ભાજપના કોઈ પણ નેતાઓએ નરેશ પટેલ ભાજપમાં જોડાશે એવું નિવેદન આપવાને લઇને પોતાની જાતને દૂર રાખી રહ્યા છે.

આ પણ વાંચોઃAlpesh Kathiria Criticized: દિલીપ સંઘાણી દ્વારા આપવામાં આવેલા નિવેદન પર અલ્પેશ કથીરિયાના પ્રહારો

ABOUT THE AUTHOR

...view details