વાઘોડિયાના ધારાસભ્ય મધુ શ્રીવાસ્તવે ચૂંટણી સભા દરમિયાન મંચ પરથી કમળને મત આપવાની અપીલ કરી હતી. પરંતુ આ અપીલ નહી પણ મતદારોને ધમકી આપતા હોય તેમ કોઈ પણ બુથમાંથી જો કમળને મત નહિ મળે તો, તમામને જોઈ લેવાની ધમકી ધમકી ભર્યું વિવાદિત નિવેદન આપ્યુ હતુ. જે કારણે રાજકીય પક્ષની સાથે મતદારોમાં પણ ભારે નારાજગી જોવા મળી રહી છે. અને મામલો વધુ ઉગ્ર બન્યો છે.
વાઘોડીયાના ધારાસભ્યએ વિવાદિત નિવેદન આપતા પ્રજા રોષે ભરાઈ - Gujarati news
જૂનાગઢઃ લોકસભા ચૂંટણીને ગણતરીના દિવસો બાકી રહ્યા છે, ત્યારે વાઘોડિયાના ધારાસભ્ય મધુ શ્રીવાસ્તવે પ્રચાર દરમિયન વિવાદિત નિવેદન આપતા પ્રજામાં ભારે રોષ જોવા મળી રહ્યો છે. જૂનાગઢના મતદારોનું કહેલુ છે કે,ભાજપના વાઘોડીયાના ધારાસભ્ય વિરુદ્ધ પગલાં ભરે અને મધુ શ્રીવાસ્તવ જાહેર મંચ પરથી પોતાના નિવેદન માટે માફી માંગે તેવી માગ કરી છે.

ફોટો
ભાજપના વાઘોડીયાના ધારાસભ્ય વિરુદ્ધ પગલા લેવા જનતાની માંગ
જૂનાગઢના મતદારો પણ મધુ શ્નીવાસ્તવના વિવાદિત બોલને લઈને આક્રોશ વ્યક્ત કરી રહ્યા છે. તેમજ ભાજપ શ્રીવાસ્તવ સામે પગલાં ભરે અને ધારાસભ્ય જાહેર મંચ પરથી માફી માગે તેવી માગ કરાઈ રહી છે.