ગુજરાત

gujarat

ETV Bharat / state

દેશની એકતા અને અખંડિતતા માટે UPના યુવાનની સાયકલ પર ભારતયાત્રા, જુઓ વીડિયો - જૂનાગઢ

દેશની ધાર્મિક એકતા અને સાંસ્કૃતિક વારસો અડીખમ રહે તે માટે ઉત્તર પ્રદેશના અમરોહીનો યુવાન નીકળ્યો સાયકલ પર ભારત ભ્રમણ યાત્રા પર.

Junagadh
સોમ શર્મા

By

Published : Jan 28, 2020, 11:02 AM IST

જૂનાગઢઃ હાલ સમગ્ર દેશમાં ધાર્મિકતાને લઈને વાતાવરણ થોડું તંગ જોવા મળે છે ત્યારે સમગ્ર વાતને ધ્યાને લઈને ઉત્તર પ્રદેશના અમરોહીનો યુવાન ભારતની ધાર્મિક એકતા અને સાંસ્કૃતિક વારસો અડીખમ રહે તે માટે ભારત ભ્રમણ યાત્રા પર નીકળ્યો છે. સાયકલ પર એકાવન હજાર કિલોમીટરનું અંતર કાપીને દેશના ધાર્મિકતા અને સાંસ્કૃતિક વારસાને લઈને લોકોમાં જાગૃતિ ફેલાવશે.

સાયકલ પર ભારત ભ્રમણ યાત્રા
ઉત્તર પ્રદેશના અમરોહીનો વતની સોમ શર્મા નામનો યુવાન દેશની ધાર્મિક એકતા અને સાંસ્કૃતિક વારસો ટકી રહે તે માટે સાઈકલ પર ભારત ભ્રમણ યાત્રા પર નીકળ્યો છે. યુવાન તેની ભારત ભ્રમણ યાત્રાના ચરણમાં જૂનાગઢ આવી પહોંચ્યો હતો. જૂનાગઢમાં એક દિવસનો ટૂંકુ રોકાણ કરીને તેના આગળના પ્રવાસ કરવા રવાના થયો હતો. હાલ સમગ્ર દેશમાં ધર્મને લઈને જે ઝેર ઓકવામાં આવી રહ્યું છે તેને લઈને યુવાને ચિંતા વ્યક્ત કરી હતી અને દેશના યુવાનોને ધાર્મિક એકતા અને ભારતના સાંસ્કૃતિક વારસાને જાળવી રાખવા માટે અપીલ કરી હતી.51 હજાર કિલોમીટરનો સાયકલ પર પ્રવાસ કરીને સોમ શર્મા નામનો યુવાન દેશમાં ધાર્મિક એકતાનો સંદેશો ફેલાવવા માંગે છે તેના યાત્રાના માર્ગ પર આવતા તમામ ધાર્મિક સ્થળો હિન્દુ, મુસ્લીમ, શીખ, ઈસાઈ, પારસી કે જૈન ધર્મના ધર્મસ્થાનોને મુલાકાતે જાય છે. શક્ય હોય ત્યાં સુધી તમામ ધર્મના ધાર્મિક સ્થાનોમાં તે રોકાણ કરે છે અને ભારતની ધાર્મિક એકતા અને ભારતના સાંસ્કૃતિક વારસા અંગે લોકોને જાગૃત કરે છે અને ખાસ કરીને યુવાનો જે આજના સમયમાં ગેરમાર્ગે દોરાઈ રહ્યા છે તેવા તમામ યુવાનોને ધર્મ અને ભારતની સાચી સંસ્કૃતિનુ જ્ઞાન પીરસીને તેમને સાચા માર્ગે વાળવાનો પ્રયાસ પણ કરે છે.આ યુવાન દેશના તમામ જ્યોતિર્લિંગોમાં પણ પ્રવાસ કરશે અને ધર્મ અંગેની કેટલીક જાણી-અજાણી ઘટનાઓ અંગે જાણકારી પણ મેળવશે આજથી આઠ મહિના પહેલા શરૂ થયેલી આ યાત્રા આજે ગુજરાત આવી પહોંચી છે અને 51 હજાર કિલોમીટરની યાત્રા પૂર્ણ કરીને પરત અમરોહી પહોંચશે, ત્યારે યુવાનનો પ્રયાશ કેટલો સફળ અને ઉપયોગી નીવડશે તે આવનારો સમય બતાવશે પરંતુ વર્તમાન સમયની એક જ માંગ છે કે, જે પ્રકારે ધર્મને લઈને વિગ્રહો ઉભા કરવામાં આવી રહ્યા છે. એવા સમયમાં આ યુવાન ભારતના યુવાનોને ધર્મ અને ભારતની સાચી સંસ્કૃતિ અંગે જ્ઞાન મળે અને ગેરમાર્ગે દોરાયેલા યુવાનો પરત ફરે તેવા ઉમદા આશયથી જે યાત્રા શરૂ કરી છે તે ખરેખર કાબીલે દાદ છે.

ABOUT THE AUTHOR

...view details