શુક્રવારે સાંગાવાડા ગામની બે તરુણીઓ મેળો કરવા ગઇ હતી. જયાં દરીયામાં એક બહેન નાહવા પડતાં પાણીના ધસમસતા પ્રવાહમાં તણાઈ ગઇ હતી. તેને જોઇને તેમની સાથે રહેલી બીજી બહેને પણ તેમને બચાવવાની કોશિશ કરતાં તે પણ દરીયામાં જતા ગરક થઇ ગઇ હતી. જેનો માત્ર મૃતદેહ જ મળી આવ્યો હતો. જેને 108 દ્વારા માંગરોળની સરકારી હોસ્પીટલ ખાતે ખસેડાયો હતો.
માંગરોળના શીલ બારામાં દરીયામાં ડુબી જવાથી બે યુવતીઓના મોત - માંગરોળ
જૂનાગઢઃ જન્માષ્ટમીના તહેવાર નિમિતે શીલ બારા દરીયા કીનારે મેળો ભરાઇ છે. જયાં દરીયા કીનારાના મેળામાં આજુબાજુ ગામોના હજારો માણસોની ભીડ જોવા મળે છે. ત્યારે શુક્રવારે સાંગાવાડા ગામની બે તરુણીઓ આ મેળો કરવા ગયાં હતા. જેની મજા મોતની સજામાં ફેરવાઇ હતી.
![માંગરોળના શીલ બારામાં દરીયામાં ડુબી જવાથી બે યુવતીઓના મોત](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-4226664-thumbnail-3x2-jnd.jpg)
માંગરોળ
માંગરોળના શીલ બારામાં દરીયામાં ડુબી જવાથી બે યુવતીઓના થયા મોત
જયારે એક મહીલા હજુ પણ દરીયામાં ગુમ છે. ઘટના સ્થળે પોલીસે તેમજ ફાયર બ્રીગેડ આવી પહોંચી આગળની વધુ તપાસ હાથ ધરી છે.