ગુજરાત

gujarat

ETV Bharat / state

જૂનાગઢમાં અનલોક તબક્કા 3 માં હવે રાબેતા મુજબ ધમધમતા થશે રેસ્ટોરન્ટ - જૂનાગઢના રેસ્ટોરન્ટ

પહેલી ઓગસ્ટથી કેન્દ્ર અને રાજ્ય સરકાર દ્વારા અનલોક તબક્કા 3 ની કેટલીક જાહેરાતો કરવામાં આવી છે. જે મુજબ રેસ્ટોરેન્ટ રાત્રીના દસ કલાક સુધી ખુલ્લી રાખવાની મંજૂરી આપવામાં આવી છે. જેને લઇને હવે રેસ્ટોરન્ટ સંચાલકો પણ સરકારની રાહત બાદ તેમના ગ્રાહકો માટે ફ્રી સહિત ડિસ્કાઉન્ટ જેવી કેટલીક ઓફર લઈને આવ્યા છે.

Junagadh News
Junagadh News

By

Published : Jul 31, 2020, 10:12 AM IST

જૂનાગઢઃ આગામી પહેલી તારીખથી અનલોક તબક્કા ત્રણની શરૂઆત થવા જઇ રહી છે. આ તબક્કામાં પણ રાજ્ય અને કેન્દ્ર સરકાર દ્વારા વધુ કેટલીક છૂટછાટો આપવામાં આવી રહી છે. જે પૈકીની એક છૂટછાટ એટલે રેસ્ટોરન્ટ રાત્રીના દસ કલાક સુધી ખુલ્લા રાખવાની મંજૂરી આપવામાં આવી છે.

આ અગાઉ રેસ્ટોરન્ટ રાત્રીના આઠ કલાક સુધી ખુલ્લા રાખવાની મંજૂરી આપવામાં આવી હતી, પરંતુ યોગ્ય સમય નહીં હોવાને કારણે રેસ્ટોરન્ટ ગ્રાહક વિના સૂમસામ જોવા મળી રહ્યા હતા ત્યારે આ મર્યાદા રાત્રીના દસ કલાક સુધી કરવામાં આવતા હવે પાંચ મહિના બાદ રેસ્ટોરન્ટ ઉપયોગ ફરી ધમધમતાં થશે.

જૂનાગઢમાં અનલોક તબક્કામાં હવે રાબેતા મુજબ ધમધમતા થશે રેસ્ટોરન્ટ
સરકારે રેસ્ટોરન્ટ અને હોટલ સંચાલકોને જે રાહત આપી છે તેના ઉપર હવે રેસ્ટોરન્ટ સંચાલકો ઓફર પર ઓફર લઈને આવી રહ્યા છે. છેલ્લા પાંચ મહિના સુધી બંધ રહેલા રેસ્ટોરન્ટમાં ગ્રાહકો પૂર્વવત બને તે માટે જૂનાગઢના રેસ્ટોરન્ટમાં ઓફર પણ મુકવામાં આવી રહી છે. પાંચ થાળી પર એક ગુજરાતી થાળી ફ્રી તેમજ તમામ પ્રકારના કોન્ટિનેન્ટલ ભોજન પર 20 ટકા સુધીના વળતર આપવાની જાહેરાત પણ રેસ્ટોરન્ટ સંચાલકો દ્વારા કરવામાં આવી છે.

ABOUT THE AUTHOR

...view details