ગુજરાત

gujarat

ETV Bharat / state

લૉકડાઉનના સમયમાં શરતોને આધીન શરૂ કરાયેલા ઔધોગિક એકમો ફેલાવી રહ્યાં છે પ્રદૂષણ - The government allowed t

સરકારે કેટલાક ઔદ્યોગિક એકમોને શરૂ કરવાની મંજૂરી આપવામાં આવી છે, તે પૈકીના કેટલાક એકમો પ્રદૂષણ ઓકવાનું શરૂ પણ કરી દીધું છે. જેને લઇને જૂનાગઢ તાલુકાના ઝાલણસર ગામમાંથી પસાર થતી ઉબેણ નદીમાં પ્રદૂષિત પાણીનો પ્રવાહ વહેતો થયો છે. જેથી હવે ગામ લોકોમાં ફરીથી નદીનું પાણી પ્રદુષિત થતા ચિંતાના વાદળો ઘેરાઈ રહ્યા છે.

લોકગાઉનના સમયમાં શરતોને આધીન શરૂ કરાયેલા ઔધોગિક એકમો ફેલાવી રહ્યાં છે પ્રદૂષણ
લોકગાઉનના સમયમાં શરતોને આધીન શરૂ કરાયેલા ઔધોગિક એકમો ફેલાવી રહ્યાં છે પ્રદૂષણ

By

Published : Apr 25, 2020, 8:23 AM IST

જૂનાગઢઃ સરકારે કેટલાક ઔદ્યોગિક એકમોને શરૂ કરવાની મંજૂરી આપવામાં આવી છે, તે પૈકીના કેટલાક એકમો પ્રદૂષણ ઓકવાનું શરૂ પણ કરી દીધું છે. જેને લઇને જૂનાગઢ તાલુકાના ઝાલણસર ગામમાંથી પસાર થતી ઉબેણ નદીમાં પ્રદૂષિત પાણીનો પ્રવાહ વહેતો થયો છે. જેને લઇને હવે ગામ લોકોમાં ફરીથી નદીનું પાણી પ્રદુષિત થતા ચિંતાના વાદળો ઘેરાઈ રહ્યા છે.

લોકગાઉનના સમયમાં શરતોને આધીન શરૂ કરાયેલા ઔધોગિક એકમો ફેલાવી રહ્યાં છે પ્રદૂષણ

છેલ્લા 30 દિવસથી સમગ્ર દેશમાં લૉકડાઉનનો અમલ થઈ રહ્યો હતો. આ સમય દરમિયાન મોટાભાગના ઉદ્યોગિક એકમો બંધ જોવા મળ્યાં હતા, પરંતુ સરકાર દ્વારા એક મહિના બાદ કેટલાક ઔદ્યોગિક એકમોને શરતી મંજૂરી આપવામાં આવી છે. જેને લઇને જિલ્લામાં કેટલાક એકમો ફરીથી શરૂ થઈ રહ્યા છે, ત્યારે આ એકમોની શરૂઆતના પ્રથમ દિવસોમાંજ તેવો પ્રદૂષણ ઓકવાનું શરૂ કરી દીધું છે. જૂનાગઢ નજીક આવેલા ઝાલણસર ગામમાંથી પસાર થતી ઉબેણ નદીનું પાણી ફરી એક વખત કેમિકલયુક્ત પ્રવાહોથી પ્રદૂષિત થઈ રહ્યું છે. જેને લઇને ગામલોકોમાં પ્રદૂષિત પાણીના પ્રવાહથી ચિંતાના વાદળો ઘેરાઈ રહ્યાં છે.

લોકગાઉનના સમયમાં શરતોને આધીન શરૂ કરાયેલા ઔધોગિક એકમો ફેલાવી રહ્યાં છે પ્રદૂષણ

જૂનાગઢ જિલ્લાના ભેસાણ નજીકથી ઉબેણ નદી પ્રવાહિત થઈને વંથલી નજીકથી પસાર થતી ઓજત નદીમાં ભળે છે. આગળ જઈને કુતિયાણા પાસે ઓજત નદી પણ ભાદર નદીમાં વિલીન થાય છે, ત્યારે ઉબેણ નદીમાં જે પ્રકારે ઔદ્યોગિક એકમો તેમનું પ્રદૂષિત અને કેમિકલ યુક્ત કચરો અને ગંદકી ભર્યું પાણી નદીના પ્રવાહમાં વહેતું મૂકી દે છે. જેને કારણે આ વિસ્તારના જમીનના તળ ખૂબ જ પ્રદૂષિત થઈ ગયા છે. તેમજ ખેતી લાયક જમીન પણ બિનઉપજાવ બની રહી છે, તો સાથે સાથે પ્રદૂષિત પાણીને કારણે કેટલાક ગંભીર પ્રકારના રોગોની સાથે ચામડીના રોગો પણ ખૂબ જ સામાન્ય બની રહ્યા છે. જેને ધ્યાને રાખીને ગામ લોકોએ અનેક વખત સરકાર અને જિલ્લા વહીવટી તંત્રમાં રજૂઆતો કરી છે, પરંતુ પ્રદૂષણ ફેલાવતા એકમો ગામલોકોની રજૂઆત કરતા ક્યાંક વધુ વજનદાર હોય તે પ્રકારે આજદિન સુધી આ સમસ્યાનું કોઇ નિરાકરણ આવ્યું હોય તેવું જોવા મળ્યું નથી.

ABOUT THE AUTHOR

...view details