ગુજરાત

gujarat

ETV Bharat / state

ગ્લોબલ વોર્મિંગની અસરથી આંબાવાડિયમાં કેરીના ફાલ પર જોવા મળી વિપરીત અસર

ગીર પંથકમાં પાકતી કેસર કેરી ગ્લોબલ વોર્મિંગની ચપેટમાં આવી ગઈ હોય તેવું લાગી રહ્યું છે. પાછલા કેટલાક વર્ષથી ગીર પંથકના આંબાવાડિયામાં ગ્લોબલ વોર્મિંગની અસરને કારણે મોર આવ્યા બાદ ખરી જવો અને કેરીની સીઝન દરમિયાન આંબામાં નવી કૂંપણો ફૂટવાની વિપરીત અસરોને કારણે કેરીનું ઉત્પાદન દર વર્ષે ઘટી રહ્યું છે. જેને કારણે ખેડૂતો ચિંતિત બની રહ્યા છે.

By

Published : Mar 12, 2021, 10:53 PM IST

ગ્લોબલ વોર્મિંગને કારણે નબળા પાકની આશંકા
ગ્લોબલ વોર્મિંગને કારણે નબળા પાકની આશંકા

  • ગ્લોબલ વોર્મિંગની વિપરીત અસરોને કારણે કૂપણો ફૂટવાથી લઈને કેરી ખરી જવા સુધીની સમસ્યા
  • પાછલા 4થી 5 વર્ષ દરમિયાન આંબાની ખેતીમાં જોવા મળી રહી છે નવી સમસ્યાઓ
  • ગીર પંથકના આંબાની ખેતી કરતા ખેડૂતો ચિંતીત
  • ગ્લોબલ વોર્મિંગને કારણે નબળા પાકની આશંકા

આ પણ વાંચોઃસુરતના અનાવલ પંથકમાં માવઠાથી કેરીના પાકને નુકસાનની આશંકા

જૂનાગઢઃગીર પંથકમાં કેરીની ખેતી સાથે સંકળાયેલા ખેડૂતો પાછલા ચાર-પાંચ વર્ષથી આંબાના પાકમાં કેટલીક નવી અને જૂની સમસ્યાઓનો સામનો કરી રહ્યા છે. પાછલા ચાર-પાંચ વર્ષથી ગીર પંથકમાં કેરી આવવાની સિઝનના સમયે આંબામાં નવી કૂંપણો ફૂટી આવે છે. જેને કારણે મોર આવ્યા બાદ કેરીના બંધારણની પરિસ્થિતિ નબળી જોવા મળે છે. સામાન્ય સંજોગોમાં મોર આવ્યા બાદ કેરીનું બંધારણ થતું જોવા મળે છે. પરંતુ આ જ સમયે કુપણ ફૂટવાથી કેરીના બંધારણમાં વિક્ષેપ પડે છે અને તેને કારણે કેરીનું બંધારણ અટકી પડે છે. કેરી ખરી પડે છે જેનો નુકસાની જગતના તાતને ભોગવવુ પડે છે.

ગ્લોબલ વોર્મિંગની વિપરીત અસરોને કારણે કૂપણો ફૂટવાથી લઈને કેરી ખરી જવા સુધીની સમસ્યા

આ પણ વાંચોઃવલસાડ જિલ્લામાં 34 હજાર હેક્ટર કેરીના પાકને માવઠાથી નુકસાનની દહેશત

ગ્લોબલ વોર્મિંગની વિપરીત અસરો પાછલા પાંચ વર્ષથી સતત વધતી જોવા મળી રહી છે

ગ્લોબલ વોર્મિંગની વિપરીત અસરો સમગ્ર સૃષ્ટિમાં વર્તાઈ રહી છે. આવી પરિસ્થિતીમાં કૃષિ પાકો પર ગ્લોબલ વોર્મિંગની અસરો બિલકુલ સામાન્ય છે ત્યારે ઝાકળ તેમજ શિયાળાની ઋતુમાં ગરમીનું પ્રમાણ અને ગરમીની ઋતુમાં માવઠાની માર ખેડૂતોને મુશ્કેલીમાં મૂકી રહ્યો છે. આ વિપરીત પરિસ્થિતિમાં આંબાનો પાક પણ હવે ગ્લોબલ વોર્મિંગની ઝપટમાં પાછલા ચાર-પાંચ વર્ષથી આવતો જોવા મળી રહ્યો છે. કસમયે મોરનું ફૂટવું ખાખડીનું બંધારણ થયા બાદ કસમયે ખરી પડવું અને કસમયની કુપળ ફુટી આવવાની સમસ્યા ગ્લોબલ વોર્મિંગને કારણે આંબાના પાક પર પાછલા ચાર-પાંચ વર્ષથી જોવા મળી રહી છે. જેને કારણે કેરીની ખેતી સાથે સંકળાયેલા ખેડૂતો ચિંતિત બન્યા છે.

ગ્લોબલ વોર્મિંગની અસરથી આંબાવાડિયમાં કેરીના ફાલ પર જોવા મળી વિપરીત અસર

ABOUT THE AUTHOR

...view details