ગુજરાત

gujarat

ETV Bharat / state

આવી સાધના તમે ક્યારેય નહી જોઈ હોય, 58 વર્ષની વયે પણ આ સંન્યાસીની યોગ સાધના યથાવત - સ્પેશ્યલ સ્ટોરી

નર્મદા જિલ્લાના ચાંદોદ નજીકના ઓમકારનાથ સરસ્વતી સંન્યાસી જૂનાગઢની મુલાકાતે છે. પાંચ વર્ષની વયથી યોગસાધના પ્રત્યે લગાવ ધરાવતા આ સંન્યાસી આજે ૫૮ વર્ષની ઉંમરે સૌ કોઈને ચકિત કરી મૂકે તે પ્રકારની યોગ સાધના કરી રહ્યા છે.

z
z

By

Published : Dec 10, 2020, 1:34 PM IST

  • ભલ ભલાને ચકિત કરી દે તેવી યોગસાધનામાં મહારત ધરાવતા સન્યાસી ઓમકારનાથ સરસ્વતી
  • પાંચ વર્ષથી શરૂ થયેલી યોગસાધના આજે ૫૭ વર્ષ બાદ પણ જેમની તેમ
  • સંન્યાસી ઓમકારનાથ સરસ્વતી ચકિત કરી મુકે તે પ્રકારે યોગ સાધના કરી રહ્યા છે
  • સરકારી નોકરી છોડીને સાધુ બનેલા ઓમકારનાથ સરસ્વતી યોગમાં ધરાવે છે મહારત


    જૂનાગઢઃ નર્મદા જિલ્લાના ચાંદોદ નજીકના ઓમકારનાથ સરસ્વતી સંન્યાસી જૂનાગઢની મુલાકાતે છે. પાંચ વર્ષની વયથી યોગસાધના પ્રત્યે લગાવ ધરાવતા આ સંન્યાસી આજે ૫૮ વર્ષની ઉંમરે સૌ કોઈને ચકિત કરી મૂકે તે પ્રકારની યોગ સાધના કરી રહ્યા છે. પાંચ વર્ષથી સતત ચાલતી આવતી યોગસાધના આજે 57 માં વર્ષે પણ સતત જોવા મળી રહી છે. યોગ સાધના વડે શરીરને નિરોગી રાખી શકવાની સાથે મન પર કાબૂ મેળવવા માટે પણ યોગની સાધના ખૂબ જ જરૂરી હોવાનું સંન્યાસી ઓમકારનાથ સરસ્વતી જણાવે છે.
    58 વર્ષની વયે પણ આ સંન્યાસીની યોગ સાધના યથાવત


    યોગસાધનામાં મહારત કરી હાંસલ

    આજથી 5 વર્ષ પહેલા વડોદરાના ચાંદોદના ઓમકારનાથ સરસ્વતીને યોગ પ્રત્યે એવો લગાવ લાગ્યો કે આજે ૫૭ વર્ષ બાદ પણ આ સાધુ સંન્યાસી યોગમાં ખૂબ મોટી મહારત હાંસલ કરી ચૂક્યા છે. સૌ કોઈને ચકિત કરી મુકે તે પ્રકારે યોગ સાધના કરતાં આ સંન્યાસી ભવનાથમાં જોવા મળ્યા પાંચ વર્ષથી શરૂ થયેલી આ યોગ સાધના આજે 57માં વર્ષે પણ અવિરત ચાલુ જોવા મળી રહી છે. ઓમકારનાથ સરસ્વતી હાલ કેટલાક દિવસોથી ગિરનારની ગોદમાં યોગ સાધના કરવા માટે આવ્યા છે. તેમની યોગસાધના જોઈને ભલભલા લોકો ચકિત બની જાય છે. આવી યોગમાં મહારથ હાંસલ કરવા માટે વર્ષોના મહાવરાની જરૂર પડતી હોય છે, ત્યારે ખૂબ જ કઠિન અને કેટલાક યોગોમાં તો ખૂબ મુશ્કેલી પડી શકે તેવા યોગના આસનો સંન્યાસી બિલકુલ ઘડીના છઠ્ઠા ભાગમાં કરતા જોવા મળી રહ્યા છે.

    સંસારની માયા છૂટ્યા બાદ સરકારી નોકરીને તિલાંજલિ આપી બન્યા સંન્યાસી

    ઓમકારનાથ સરસ્વતી પાંચ વર્ષની વયથી યોગમાં ખૂબ જ તલ્લીન બનતા જોવા મળતા હતા. ત્યારે ઉંમર વધવાની સાથે એવો સરકારની બેંક અને હોસ્પિટલ જેવી સેવાઓ માં પણ નોકરી માટે જોડાયા હતા પરંતુ આ સમય દરમિયાન તેમને ગુરુનો આદેશ થતાં તેઓ સરકારી નોકરીને તિલાંજલિ આપીને સંન્યાસી બની રહ્યા ત્યારબાદ તેમની યોગસાધના આજે સર્વોચ્ચ શિખર પર જોવા મળી રહી છે ભલભલા યોગ આચાર્યો યોગ સાધના કરવાથી દુર જોવા મળતા હોય છે તેવા કઠિન યોગની સાધના આ સન્યાસી ચપટી વગાડતાં જ કરી રહ્યા છે
  • આ પણ વાંચો
    ગિરનાર પર્વત પર પગના પંજા પર બેસી માતાજીની ભક્તિ કરનારા સંન્યાસીનો વીડિયો વાઈરલ

ABOUT THE AUTHOR

...view details