ઉલ્લેખનીય છે કે, ગત લોકસભાની ચૂંટણીમાં પણ પુંજા વંશ ચૂંટણી લડી ચુક્યા છે, ત્યારે ગત વખતે તેઓ 1 લાખ 35 હજાર જેટલા મતોથી હાર્યા હતા. ETV Bharat સાથે વાતચીત કરતા કોંગી ઉમેદવાર પુંજા વંશે કહ્યું કે, ગત લોકસભાની ચૂંટણીને બાદ કરતા કોંગ્રેસે જૂનાગઢ બેઠક નીચેની લગભગ તમામ વિધાનસભા બેઠકો જીતી હતી, ત્યારે વિધાનસભાની ચૂંટણી વખતે લોકોનો કોંગ્રેસ તરફી ઝુકાવ જોતા મને તગડી લીડથી વિજેતા બનવશે.
જૂનાગઢથી કોંગી ઉમેદવાર પુંજા વંશ સાથે ETV Bharatની ખાસ વાતચીત - junagadh
ગીરસોમનાથઃ જૂનાગઢ લોકસભાની બેઠક માટે કોંગ્રેસે પુંજાભાઈ વંશ પર પસંદગીનો કળશ ઢોળ્યો છે, ત્યારે સાંસદની ટિકિટ મળ્યા બાદ પુંજા વંશે જંગી લીડ સાથે વિજય મેળવવાનો વિશ્વાસ વ્યક્ત કર્યો હતો.
![જૂનાગઢથી કોંગી ઉમેદવાર પુંજા વંશ સાથે ETV Bharatની ખાસ વાતચીત](https://etvbharatimages.akamaized.net/etvbharat/images/768-512-2842189-77-f9da88c0-602e-48f2-a680-47027f5840a7.jpg)
સ્પોટ ફોટો
કોંગી ઉમેદવાર પુંજા વંશ સાથે ETV Bharatની ખાસ વાતચીત
હાલમાં જાણવા મળી રહ્યું છે કે, પુંજા વંશને ટિકિટ મળતાની સાથે જ ગીરસોમનાથ કોંગ્રેસમાં આંતરિક બળવો થયો છે. કોંગ્રેસે પુંજા વંશને વણમાંગી ટિકિટ આપી હોવાની ચર્ચાઓ સાથે કોંગ્રેસની સિલેક્શન કમિટી પર પણ આંગળીઓ ચીંધી રહ્યા છે, ત્યારે પુંજા વંશ સામે લોકસભા ચૂંટણી અગ્નિપથ સમાન બની રહેશે.