જૂનાગઢઃગત નાણાકીય વર્ષ દરમિયાન(Junagadh APMC) જૂનાગઢ ખેતીવાડી ઉત્પન્ન બજાર સમિતિમાં બે કરોડ કરતાં વધુના નફાની સાથે ગત વર્ષે પુષ્કળ પ્રમાણમાં કૃષિ જણશીનું ખરીદ વેચાણ (Profit of Junagadh APMC)કરવામાં આવ્યુ હતુ. કોરોના કાળની (Corona period)વચ્ચે પણ જૂનાગઢ ખેતીવાડી ઉત્પન્ન બજાર સમિતિમાં કૃષિ પેદાશોની ખરીદ અને વેચાણ થયું હતું. જે ખૂબ ઉત્સાહ જનક વાતાવરણ પૂરું પાડી રહ્યું છે.
કોરોનાને કારણે અનેક વખત માર્કેટિંગ યાર્ડ સંપૂર્ણપણે બંધ રહ્યું -ગત વર્ષે જૂનાગઢ ખેતીવાડી ઉત્પન્ન બજાર સમિતિમાં કુલ 13 લાખ 37 હજાર 752 ક્વિન્ટલ જેટલી કૃષિ જણશીની આવક થઈ હતી. જેની સામે કુલ 743 કરોડ 85 લાખ 34 હજાર જેટલી રકમની ખરીદ વહેચાણ ગત વર્ષ દરમિયાન કરવામાં આવ્યું હતું. જૂના થકી APMCને અંદાજિત બે કરોડ કરતા વધુ નફો થયો હોવાની વિગતો બહાર આવી છે. પાછલા બે વર્ષ દરમિયાન કોરોના સંક્રમણને કારણે અનેક વખત માર્કેટિંગ યાર્ડ સંપૂર્ણપણે બંધ રહ્યું હતું તેમ છતાં કૃષિ જણસોની આવક અને ખરીદ વેચાણની રકમમાં ખૂબ મોટો વધારો જોવા મળી રહ્યો છે.