ગુજરાત

gujarat

By

Published : Jun 19, 2019, 8:36 AM IST

ETV Bharat / state

કેશોદની ટીલોરી નદીમાં પીપળનું વૃક્ષ ધરાશાયી, પાલિકાની ઢીલી કામગીરી આવી સામે

જૂનાગઢ: જિલ્લામાં આવેલા કેશોદ નગરપાલિકાની કામ પ્રત્યે બેદરકારી સામે આવી હતી. જેમાં કેશોદમાં આવેલી ટીલોરી પીપળનું વૃક્ષ ધરાશાયી થતા સ્થાનિકવાસીઓએ પાલિકાને જાણ કરી હતી.

કેશોદની ટીલોરી નદીમાં પીપળનું વૃક્ષ ધરાશાયી

સ્થાનિક દ્વારા પાલિકાને જાણ કરવા છતા પણ વૃક્ષ ધરાશાયી થયાના 2 દિવસ થયા છતા હજુ સુધી તે જ પરિસ્થિતિમાં જોવા મળ્યું છે. આ વૃક્ષ ધરાશાયી થવાના કારણે પુર સમયે પાણી રોકવાની વિકટ પરિસ્થિતિ ઉભી થવાની શક્યતા રજૂ કરવામાં આવી છે. આ પરિસ્થિતિને જોતા એવું લાગે છે કે, હજુ સુધી પાલિકા દ્વારા પ્રિ-મોન્સૂન કામગીરી હાથ ધરવામાં આવી નથી.

કેશોદની ટીલોરી નદીમાં પીપળનું વૃક્ષ ધરાશાયી

આ પ્રકારની પાલિકાની ઢીલી કામગીરીને લઈને નદીના ઉપરવાસમાં રહેતા સ્થાનિકો દ્વારા વિરોધ નોંધાવવામાં આવ્યો હતો.

ABOUT THE AUTHOR

...view details