જુનાગઢવિસ્તારના વોર્ડ નંબર 1 સરગવાડા ગામના(Sargwada village in Junagadh) રહીશોએ જુનાગઢમનપાના ઉદાસીન વલણને કારણે લોક ફાળો કરીને પીવાના પાણીની વ્યવસ્થાઉભી કરી છે. પાછલા બે દસકાથી સરગવાળા ગામના લોકો જુનાગઢ મનપા કચેરીને ધકા ખાઈને અંતે ત્રાસી ગયા હતા. આજે ગામ લોકોએ ફાળો કરીને ગામમાં પીવાના પાણીની વ્યવસ્થા ઊભી કરવાના શ્રી ગણેશ કર્યા છે.
સરગવાડા ગામના લોકો બે દસકા તરસ્યા, જુનાગઢ મનપા કચેરીના આંખ આડા કાન - Junagadh municipal office
એક બાજુ ગુજરાતમાં ચૂંટણીનો માહોલ જામ્યો છે. અને બીજી બાજુ જૂનાગઢમાં આવેલ સરગવાડા ગામના જૂનાગઢમાં આવેલ સરગવાડા ગામના(Sargwada village in Junagadh) રહીશો પાણી માટે તરફડયા મારી રહ્યા હતા. પરંતું જુનાગઢ મનપા કચેરી જાણે આંખ આડા કાન કરીને બેસી હોય તેમ આ લોકો પર ધ્યાન આપવામાં આવી રહ્યું ન હતું. લોકો બે દસકાથી રજૂઆત કરી કરીને થાકી ગયા પણ જુનાગઢ તંત્રએ લોકોનો હાથ ના પક્ડયો. અંતે લોકોએ ગામમાંથી પૈસા ભેગા કરીને પીવાના પાણીની વ્યવસ્થા ઊભી કરવાના શ્રી ગણેશ કર્યા છે.
![સરગવાડા ગામના લોકો બે દસકા તરસ્યા, જુનાગઢ મનપા કચેરીના આંખ આડા કાન સરગવાડા ગામના લોકો બે દસકા તરસ્યા, જુનાગઢ મનપા કચેરીના આંખ આડા કાન](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-17069732-thumbnail-3x2-dar-aspera.jpg)
સમસ્ત ગામની સમસ્યાજુનાગઢ મ્યુનિસિપલ કોર્પોરેશન(Junagadh Municipal Corporation) વિસ્તારના વોર્ડ નંબર 1 ના સરગવાળા ગામના લોકો પાછલા બે દસકાથી પીવાના પાણીની સમસ્યાને લઈને ખૂબ મુશ્કેલીમાંથી પસાર થઈ રહ્યા હતા. પાછલા 20 વર્ષથી ગામના લોકો જુનાગઢ મનપા વહીવટી તંત્રને (Junagadh Municipal Office) અનેક વાર પીવાના પાણીની વ્યવસ્થા ઊભી કરવા માટે રજૂઆતો કરી હતી. તેમ છતાં ગામમાં પીવાના પાણીની કોઈ વ્યવસ્થા નહીં થતાં ગામ લોકો ખૂબ નિરાશ થયા હતા. હવે ગામની પીવાના પાણીની વ્યવસ્થા સમસ્ત ગામની સમસ્યા છે. તેનું નિરાકરણ જુનાગઢ મનપા નહીં પરંતુ ગામના લોકો સ્વયં કરશે તેવો નિર્ણય કરીને ગામ લોકોએ પીવાના પાણીની વ્યવસ્થા સ્વયંમ ઉભી કરવાની દિશામાં ખૂબ જ આવકારદાયક અને નિર્ણાયક પગલું ભર્યું છે.
ગામના પ્રત્યેક લોકો સુધીલોક ફાળાથી પીવાના પાણીની કરી વ્યવસ્થાવોર્ડ નંબર એકના સરગવાડા ગામના રહીશો દ્વારા શહેરના નવનિર્મિત રામજી મંદિર વિસ્તારમાં એક લાખ કરતા વધુ ના લોક ફાળાથી પીવાના પાણી માટેના બોરની વ્યવસ્થા આજથી ઉભી કરવામાં આવી રહી છે. આગામી દિવસોમાં સરગવાડા ગામના લોકો લોક ફાળાથી ઉભી થયેલી પાણીની વ્યવસ્થા ગામના પ્રત્યેક લોકો સુધી મળે અને જુનાગઢ મનપાની કચેરી ના ધક્કા ખાવાનું ટળે તેવા મક્કમ મનોબળ અને ઈરાદા સાથે લોક ફાળા થી ગામ લોકોએ સ્વયમ પાણીનો બોર કરાવ્યો છે. મનપાની ઉદાશીન નીતિ ગામ લોકોને સ્વયં પાણીની વ્યવસ્થા ઉભી કરવા માટે મજબૂર કરી ગઈ અને અંતે આજે ગામ લોકોએ લોક ફાળાથી ગામમાં પીવાના પાણીની પોતાની વ્યવસ્થાઓ ઊભી કરી છે. હવે ગામ લોકો જૂનાગઢ મનપાનું પાણી નથી જોઈતું તેવા નિર્ધાર સાથે આગળ વધી રહ્યા છે.