ઇસરા ગામથી પદયાત્રા ધૂન, ભજન-કિર્તન કૃષ્ણ ભકિતના વાતાવરણ સાથે નીકળી હતી. બપોરે જુથળ પાટીયે રામવાવ મુકામે સમસ્ત પદયાત્રાળુએ સમૂહ ભોજનનો લાભ લીધો હતો. ત્યારબાદ ચાંડુવાવ રાત્રી રોકાણ દરમિયાન રાસ ગરબાનું આયોજન કરવામાં આવ્યુ હતું.
કેશોદના ઇસરાથી ભાલકા સુધી ધર્મધજા પદયાત્રા યોજાઈ - ન્યુઝ ઓફ કેશોદ
કેશોદ: તાલુકાના ઈસરા ધેડ ગામેથી શ્રી ધુણેશ્વર ગ્રુપ દ્વારા ઈસરા ગામ સમસ્ત ઈસરાથી ભાલકા ધર્મધજા પદયાત્રાનું આયોજન કરાયું હતું. જેમાં એક રથમાં શ્રીકૃષ્ણની મૂર્તિ અને અખંડ જ્યોત ભાલકા સુધી પ્રજ્વલિત રાખવામાં આવી હતી.

કેશોદના ઇસરાથી ભાલકા સુધી ધર્મધજા પદયાત્રા યોજાઈ
બીજા દિવસે સવારે ભાલકા તીર્થ સુધી ધર્મ ધ્વજા રથયાત્રા ભક્તિભાવ સાથે પહોંચી હતી. જ્યાં પદયાત્રીઓએ કથાનું રસપાન અને ધજા પ્રદક્ષિણા કર્યા બાદ નૂતન ધજારોહણ કરી હતી. આમ, ગ્રામજનોએ જ્ઞાતી જાતીના ભેદભાવ વિના પદયાત્રામાં જોડાયા હતા. જેમાં 400થી વધુ પુરૂષો અને મહિલાઓ સહિત બાળકોએ ભક્તિભાવ સાથે ધામધૂમથી ધજારોહણ કરી હતી.
કેશોદના ઇસરાથી ભાલકા સુધી ધર્મધજા પદયાત્રા યોજાઈ
Last Updated : Jan 13, 2020, 6:23 AM IST