જૂનાગઢમાં નરસિંહ મહેતાની 564મી હારમાળા જયંતિની ઉજવણી કરાઇ - હારમાળા જયંતિ
જૂનાગઢ: મંગળવારના રોજ જૂનાગઢના હાટકેશ્વર શિવાલય ખાતે આદ્ય કવિ નરસિંહ મહેતાની 546મી હારમાળા જયંતિની ઉજવણી કરવામાં આવી હતી. જેમાં નરસિંહ મહેતાના વંશજ ડોક્ટર જવાહર બક્ષીએ નરસિંહ મહેતાના પદોનું ગાન કરીને નરસિંહ ભક્તોને ભક્તિરસથી તરબોળ કર્યા હતા.

જૂનાગઢમાં નરસિંહ મહેતાની 564મી હારમાળા જયંતિની ઉજવણી કરવામાં આવી
મંગળવારના રોજ આદ્યકવિ નરસિંહ મહેતાની ૫૬૪મી હારમાળા જયંતીની ઉજવણી જૂનાગઢના હાટકેશ્વર શિવાલય ખાતે કરવામાં આપી હતી. જેમાં નરસિંહ મહેતાના વંશજ ડો. જવાહર બક્ષી વિશેષ હાજરી આપી હતી. આ કાર્યક્રમમાં મુંબઈથી હાજર રહેલા ડોક્ટર બક્ષીએ નરસિંહ મહેતાના પદોનું ગાન કરીને નરસિંહ ભક્તોને નરસિંહના રસથી તરબોળ કરી દીધા હતા. દર વર્ષે યોજાતા કાર્યક્રમને લઇને નરસિંહ ભક્તો આખું વર્ષ રાહ જોતા હોય છે. આજના દિવસે નરસિંહની રચના અને તેના પદોનો રસાસ્વાદ માણવાની તક મળે છે.
જૂનાગઢમાં નરસિંહ મહેતાની 564મી હારમાળા જયંતિની ઉજવણી કરવામાં આવી