જૂનાગઢ: રામનવમીના દિવસે વડોદરામાં જ્યાં પથ્થર મારો થયો અને સ્થિતિ સંવેદનશીલ હતી એવા સમયે જૂનાગઢમાં દુઆ કમાવાનું કામ થઈ રહ્યું હતું. મુસ્લિમ ભાઈઓએ શોભાયાત્રામાં ભાગ લઈ રહેલા રામ ભક્તો માટે પીવાનું પાણી પૂરું પાડ્યું હતું. ભર બપોરે જ્યારે શોભાયાત્રા પસાર થઈ રહી હતી એ સમયે મુસ્લિમ ભાઈઓ પીવાનું પાણી પૂરું પાડી રહ્યા હતા. આ તમામ મુસ્લિમ ભાઈઓ એ શાયર રવિ કુમારના શેર સાચા પુરવાર કર્યા છે. બંધ કરો યે લડના ઝઘડના ઇસસે ખુદા કા ક્યાં વાસ્તા, કરો કામ મોહમ્મદ રામ કે જેસે, જિસસ સે મિલે મુક્તિ કા રાસ્તા.
કોમી એકતાનું દ્રષ્ટાંત:મર્યાદા પુરુષોત્તમ ભગવાન શ્રીરામના જન્મોત્સવ પ્રસંગે પાછલા 38 વર્ષથી શોભાયાત્રાનું આયોજન જુનાગઢ ના ઉપરકોટ વિસ્તારમાંથી વિવિધ સનાતન ધર્મના સંગઠનો દ્વારા કરવામાં આવે છે. ત્યારે આજે હરિ ઓમ ચેરીટેબલ ટ્રસ્ટના નેજા નીચે નીકળેલી શોભાયાત્રા માં સામેલ રામ ભક્તો માટે જળ સેવા પૂરી પાડીને મુસ્લિમ યુવાનોએ કોમી એકતા નું આદર્શ ઉદાહરણ પૂરું પાડ્યું હતું. બપોરના સમયે નીકળેલી શોભાયાત્રા દરમિયાન મુસ્લિમ યુવાનો હાથમાં પાણી અને શરબત લઈને યાત્રિકોને કોઈ તકલીફ ન પડે તે માટેની સેવા કરતા જોવા મળ્યા હતા.
આ પણ વાંચો Junagadh News: માતાજી આવતા હોવાની અંધશ્રદ્ધામાં દીકરી દાઝી, યજ્ઞમાં હાથ-પગ મૂકી દીધા