આગામી રામનવમીની ધામધૂમથી ઉજવણીની તૈયારી બાબતે ચર્ચા વિચારણા કરવા માટે મીટીંગનું આયોજન કરવામાં આવ્યુહતું.
કેશોદમાં રામનવમી નિમિત્તે VHP અને બજરંગદળ ગૌરક્ષાદળની અધ્યક્ષતામાં મીટીંગ યોજાઈ - VHP
જુનાગઢ: રામનવમી નિમિત્તે ભગવાન શ્રીરામની રથયાત્રાના આયોજન બાબતે કેશોદના નિલકંઠ મહાદેવ મંદિરના ગ્રાઉન્ડમાં મીટીંગનું આયોજન કરવામાં આવ્યુ હતું. જેમાં કેશોદ શહેર તથા ગ્રામ્ય વિસ્તારના વિશ્વ હિન્દુ પરિષદ-બજરંગદળ ગૌરક્ષક દળના હોદ્દેદારો, સામાજિક સંગઠનો તથા શહેરીજનો ઉપસ્થિત રહ્યા હતા.
સ્પોટ ફોટો
રામનવમીની રથયાત્રાની તડામાર તૈયારીઓ કરવામાં આવી રહી છે. ખાસ કરીને રામ જન્મોત્સવમાં માનવ મહેરામણ ઉમટી પડે છે જેને લઈને કયા પ્રકારની તૈયારી કરવી તે બાબતે મીંટીંગ યોજાઈ હતી. તમામ દળોને શાંતિપૂર્ણ રીતે રામ નવમીની શોભાયાત્રામાં જોડાવવા અપીલ કરાઈ હતી.