જુનાગઢમાં સફાઈ કામદારોએ કમિશ્નરને પાઠવ્યું આવેદનપત્ર - Letter of application to the Commissioner of Cleaning staff in Junagadh
જુનાગઢ: આગામી દિવસોમાં જૂનાગઢમાં ખાનગી કંપનીને સફાય અંગેનો કોન્ટ્રાક્ટ આપવાની કાર્યવાહીનો વિરોધ નગરપાલિકાના સફાઇ કર્મીઓએ કર્યો હતો. રેલીના સ્વરૂપમાં જુનાગઢ કમિશનરને આવેદનપત્ર આપીને સંભવિત ખાનગી કોન્ટ્રાકટથી પ્રથાને બંધ રાખવા માગ કરી હતી.
![જુનાગઢમાં સફાઈ કામદારોએ કમિશ્નરને પાઠવ્યું આવેદનપત્ર](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-4821747-thumbnail-3x2-junagadh.jpg)
જુનાગઢમાં સફાઈ કામદારોએ કમિશ્નરને પાઠવ્યું આવેદનપત્ર
જૂનાગઢ મનપા દ્વારા જૂનાગઢ શહેરના માહી માર્ગોને સફાઈ માટે ખાનગી કંપનીને કોન્ટ્રાક્ટ આપવા માટે વિચાર વિમર્શ કરવામાં આવ્યો હતો. જેને લઇને સફાઇ કર્મીઓમાં નારાજગી જોવા મળી રહી હતી. સમગ્ર મામલાને લઈને સફાઈ કર્મીઓએ આવી પ્રથા નગરપાલિકામાં ન હોવી જોઈએ એવો મત વ્યક્ત કરીને સંભવિત ખાનગી સફાઈ કોન્ટ્રાક્ટ પ્રથા વિરુદ્ધ જુનાગઢ મનપા કમિશનર તુષાર સુમેરાને આવેદનપત્ર આપ્યું હતું. સંભવિત ખાનગી કોન્ટ્રાક્ટ પ્રથાને તાકીદે બંધ રાખવા માગ કરી હતી.
જુનાગઢમાં સફાઈ કામદારોએ કમિશ્નરને પાઠવ્યું આવેદનપત્ર