સરકાર દ્વારા જાહેર કરાયેલી ગત વર્ષની મોટાભાગની ખેડૂત યોજનાઓ પર અલીગઢી તાળા - રાજ્ય સરકાર
આ વર્ષે રાજ્ય સરકારે તેના નાણાકીય અંદાજપત્રમાં ખેડૂતલક્ષી યોજનાઓની કેટલીક લોભામણી જાહેરાતો કરી છે, ત્યારે ગત પર અને તેની અગાઉ જાહેર કરવામાં આવેલી ખેડૂત યોજના વિશે રિયાલિટી ચેક કરતા મોટાભાગની યોજનાઓ પર અલીગઢી તાળું લટકતું જોવા મળી રહ્યું છે.
![સરકાર દ્વારા જાહેર કરાયેલી ગત વર્ષની મોટાભાગની ખેડૂત યોજનાઓ પર અલીગઢી તાળા સરકાર દ્વારા જાહેર કરાયેલી ગત વર્ષની મોટાભાગની ખેડૂત યોજનાઓ પર અલીગઢી તાળા](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-6220713-thumbnail-3x2-jnd.jpg)
જૂનાગઢ : ગઈકાલે રાજ્ય સરકારે વર્ષ 2020-21નું અંદાજપત્ર રજૂ કર્યું છે. આ અંદાજપત્રમાં કેટલીક ખેડૂતલક્ષી યોજનાઓની જાહેરાત પણ કરવામાં આવી હતી, ત્યારે રાજ્ય અને કેન્દ્ર સરકાર દ્વારા ગત અને તેના અગાઉના વર્ષોમાં જે ખેડૂત લક્ષી યોજનાઓની જાહેરાત કરી હતી તેનું રિયાલિટી ચેક કરવામાં આવતાં મોટાભાગની યોજનાઓ પર અલીગઢી તાળુ જોવા મળી રહ્યું છે. રાજ્ય અને કેન્દ્ર સરકાર દર વર્ષે તેના અંદાજપત્રમાં ખેડૂત વર્ગને આકર્ષવા માટે યોજનાઓની ભરમાર કરતી હોય છે, પરંતુ આ યોજના નાણાકીય વર્ષ પૂરું થવાની સાથે જ અદ્રશ્ય પણ થતી જોવા મળી રહી છે.