કચ્છ જિલ્લાના ગાંધીધામ ખાતે કોંગ્રેસ દ્વારા જનતા રેડ કરીને મગફળીમાં થતા કૌંભાડો પર પ્રકાશ પાડવામાં આવ્યો છે. શુક્રવારથી વધુ એક મગફળી કાંડની ગંધ આવી રહી છે.
કચ્છ મગફળી કૌભાંડ મામલે કિસાન મોરચાના અધ્યક્ષે નિષ્પક્ષ તપાસ કરવાની કરી માંગ પ્રદેશ કિસાન મોરચાના અધ્યક્ષ આંબલીયાએ ગાંધીધામ સ્થિત સરકાર દ્વારા ટેકાના ભાવે ખરીદી કરીને ગોડાઉનમાં સંગ્રહ કરવામાં આવેલી મગફળીની જનતા રેડ કરતાં ત્યાંથી મોટા પ્રમાણમાં મિલાવટ બહાર આવી રહી છે.
આ જનતા રેડ દરમિયાન મગફળીની બોરીમાંથી મગફળીના બદલે મોટા-મોટા પથ્થરો અને માટી તેમજ માટીના ઢેફાં મળી આવ્યા હતા. જેને લઇને સમગ્ર કૌભાંડ બહાર આવ્યું હતું.
પ્રદેશ કોંગ્રેસ કિસાન સંઘના અધ્યક્ષ પાલ આંબલિયાએ શનિવારે વધુ કેટલાક વીડિયો જાહેર કરીને સમગ્ર કૌભાંડની ઉચ્ચકક્ષાએથી તપાસ થાય તેવી માંગ કરી છે. ગુજરાતમાં સરકાર દ્વારા ખરીદ કરવામાં આવેલા મગફળીનો જથ્થો છે.
કિશાન સંઘના અધ્યક્ષ પાલ દ્વારા મગફળીને જે ગોડાઉનમાં રાખવામાં આવેલો છે તે તમામ ગોડાઉનને તાકીદે સીલ કરીને નિષ્પક્ષ તપાસ એજન્સીઓ દ્વારા સમગ્ર મામલાની તપાસ કરવામાં આવે તેવી માંગ કરવામાં આવી છે. આ સાથે જ રાજ્યવ્યાપી કૌભાંડમાં ગાંધીધામનો પણ સમાવેશ થાય તેમ જણાવ્યું હતું.