જુનાગઢ અને વંથલી પંથકમાં પાકતી કેરીની સમગ્ર વિશ્વમાં માંગ છે ત્યારે આ જ વિસ્તારમાં પાક તો બીજો પાક એટલે રાવણાની પણ સમગ્ર દેશમાં ભારે માંગ જોવા મળી રહી છે. આ ફળની ખરીદી માટે દિલ્હી, ઉત્તર પ્રદેશ, પંજાબ, હરિયાણા સહિતના રાજ્યોમાંથી વપારીઓ જૂનાગઢ અને વંથલી પંથકમાં પાકતા રાવણાની ખરીદી માટે આવી રહ્યા છે. ગત વર્ષની સરખામણીએ આ વર્ષે રાવણાના બજાર ભાવમાં પણ ભારે ઉછાળો જોવા મળ્યો છે, જેને લઇને ખેડૂતોને સારુ મૂલ્ય મળે તેવા ઉજળા સંજોગો જોવા મળી રહ્યા છે.
જુનાગઢ, ગીર અને વંથલી પંથકમાં પાકતી કેસર કેરીની સમગ્ર વિશ્વમાં માંગ છે જેને લઇને આ વિસ્તારમાં કેરીની ખેતીની સાથે અન્ય ફળ પાકની પણ ખેતી છેલ્લા ઘણા વર્ષોથી ખેડૂતો કરી રહ્યા છે. કેરી બાદ આ વિસ્તારને એક નવી ઓળખ આપતું હોય તો તે રાવણા છે. રાવણાની ખેતી વંથલી અને જુનાગઢ પંથકમાં થતા રાવણાની સમગ્ર દેશમાં ભારે ડિમાન્ડ છે, જેને કારણે વંથલી અને જુનાગઢના રાવણાની દેશના પંજાબ, દિલ્હી ઉત્તર પ્રદેશ, હરિયાણા સહિત પૂર્વનાં રાજ્યોમાં ભારે માંગ છે.
જૂનાગઢના રાવણાની સમગ્ર દેશમાં વધી માંગ વંથલી પંથકમાં પાકતા રાવણા ખાસ કરીને તેના આકાર અને તેના સ્વાદને લઈને બધાથી અલગ તરી આવે છે, તેથી જ દિલ્હીના મોટા વેપારીઓ દિલ્હીથી વંથલી આવીને એક મહિના સુધી વંથલીમાં રોકાણ કરે છે અને જ્યા સુધી રાવણાની સિઝન પૂરી ન થાય ત્યાં સુધી તમામ રાવણાની ખરીદી કરે છે જે બાદ આ રાવણાને દિલ્હી તથા ત્યાંથી દેશના અન્ય રાજ્યોમાં મોકલે છે.
ગત વર્ષની સરખામણીએ આ વર્ષે રાવણનો પાક પુષ્કળ પ્રમાણમાં આવ્યો છે. તો રાવણાના બજાર ભાવોમાં પણ ઉછાળો જોવા મળ્યો હતો. ગત વર્ષે રાવણાના બજાર ભાવ 150 રૂપિયાથી લઈને સાડા ત્રણસો રૂપિયા પ્રતિ કિલોના ભાવે વેંચાયા હતા. તે જ રાવણાની શરૂઆતની આજની બજાર કિંમત 350 રૂપિયા પ્રતિ કિલો થી લઈને 1000 રૂપિયા પ્રતિ કિલોના ભાવે તેનું વેચાણ થઇ રહ્યું છે, જેને લઇને ખેડૂતોને ખૂબ સારા બજાર ભાવો મળતા ખેડૂતો પણ ખુશ છે.
વંથલી પંથકમાં ફળપાક તરીકે કેરી, ચીકુ બાદ રાવણા મોખરાનું સ્થાન ધરાવે છે. રાવણાની ખેતી મર્યાદિત વિસ્તારમાં અને મર્યાદિત ખેડૂતો કરતા હોય છે તેમ છતાં અહીંના રાવણાની છેક દિલ્હી સુધી માંગ છે. જેના કારણે દિલ્હી સહિત પૂર્વ ભારતના રાજ્યોના મોટા ફળના વેપારીઓ વંથલી સુધી આવીને વંથલીના રાવણાની ખરીદી કરે છે અને દેશનાં અન્ય રાજ્યોમાં તેનો વેચાણ કરે છે.